| દ્રાક્ષાદિક્વાથ
આયુર્વેદના આ પ્રસિદ્ધ ઔષધનું નામ છે. “દ્રાક્ષાદિ ક્વાથ” દ્રાક્ષ, હરડે, કડુ, નાગરમોથ ગરમાળાનો ગોળ અને પિત્તપાપડો. આ છએ ઔષધો સરખા ભાગે સડેલા ન હોય એવા સો સો ગ્રામ લાવી ખૂબ ખાંડી ભુક્કો કરી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલા આ ભુકાનો ઉકાળો કરી તાજેતાજો સવારે, બપોરે અને રાત્રે દસથી પંદર દિવસ પીવાથી પિત્તજ્વર, તૃષા- તરસ અને રાત્રે દસથી પંદર દિવસ પીવાથી પિત્તજ્વર, તૃષા- તરસ મૂર્છા, લવારી- બકવાટ, શોષ, ભ્રમ બળતરા અને રક્તપિત્ત મટે છે. આ ઉકાળા- કવાથથી કબજિયાત મટે છે અને સરળ મળશુદ્ધિ થાય છે.
|