ભાવનગરતા.૧
ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર સામે પ્રશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામા આવતા રેલવે કર્મચારીઓમાં તરેહ-તરેહની વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર રાજેશ જયસ્વાલ, કેન્દ્ર સરકારના નિયમોને નેવે મુકીને રેલવેની પ્રિમાઈસમાં ધાર્મિક ફોટા રાખતા હોવાનું રેલવેના કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યુ છે.
- રેલવે અધિકારી અને કર્મચારીઓમાં તરેહ-તરેહની ચર્ચા
રેલવેની પ્રિમાઈસમાં ધાર્મિક ફોટા રાખવાની બાબત સરકારના ડાયરેકશનની વિરૂધ્ધ છે.આ ઉપરાત આ સિનિયર ડિવિઝનલ એન્જિનિયર રાજેશ જયસ્વાલ રેલવેના કાગળો પર પર ધાર્મિક નોંધ મુકતા હોવાનો આક્ષેપ રેલવેના કર્મચારીઓએ કર્યો છે.જેને પગલે પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ(પીઆરકેપી) દ્વારા આ અંગે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી છે.જેની અરજી રેલવેના હેડકવાર્ટર સુધી પહોચી ગઈ હોવાનું જાણવા મળ્યુ છે.હાલમા અપીલના લેવલે મામાલો ચાલી રહ્યો છે.રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જિનિયરની આ પ્રકારની પ્રવૃતિ રેલવેના અધિકારીઓ અને રેલવેના કર્મચારીઓમા ચર્ચના ચકડોળે ચડી છે.