રાજકોટ, તા. 04
રાજકોટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જૈનધર્મ સભાને સંબોધવા આવેલા મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમને જણાવતા કહ્યું કે કોટન નિકાસમાં ટેકસ લાદે છે. જ્યારે મટન નિકાસ પર સબસિડી આપીને કેન્દ્ર સરકાર જીવહત્યાને ઉત્તેજન આપે છે.
સરકારની આ નીતિની આલોચના કરતાં મુખ્ય મંત્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વોટબેંકની રાજનીતિ ચલાવે છે અને જીવહત્યા રોકવાનું કામ નથી કરતી. ગૌ હત્યા રક્ષાનો કડક રીતે અમલ માત્ર ગુજરાતમાં જ લાગૂ છે. તેમને એમપણ જણાવ્યું કે કતલખાના અને ગૌહત્યા બંધ થવી જોઈએ. આ તકે જૈન સમાજે દુનિયાભરમાં જૈન ફૂડ ફેસ્ટિવલ યોજીને શાકાહરને પ્રમોટ કરવો જોઈએ.રાજકોટમાં જૈન સંમેલનમાં હાજરી આપીને મુખ્યમંત્રી મોરબી રવાના થયા હતા. મોરબીમાં સરપંચ સંમેલનને સંબોધશે.