મુંબઈ 4, એપ્રિલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન રિલીઝ થનાર ફિલ્મ 'જન્નત' ની સિકવલનાં અભિનેતા ઈમરાન હાશ્મીએ કહ્યું હતું કે ક્રિકેટ ટૂર્નામેન્ટનાં સમય દરમિયાન ફિલ્મ રિલીઝ થવી જ જોઈએ.
નિર્દેશક કૃણાલ દેશમુખનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જન્નત' 2008માં રિલીઝ થઈ હતી, જેમાં ઈમરાન હાશ્મીએ કામ કર્યું હતું. આ ફિલ્મની સિક્વલમાં પણ ઈમરાન હાશ્મી જ છે. આ ફિલ્મ 4થી મે નાં રોજ રિલીઝ થશે.
ઈમરાન હાશ્મીએ 'જન્નત 2' નાં મ્યૂઝિક લોન્ચ પર જણાવ્યું હતું કે, "ગયા વર્ષે જન્નત ફિલ્મ આઈપીએલ દરમિયાન રિલીઝ થઈ હતી અને અમે કલકત્તા નાઈટ રાઈડર્સની મેચમાં ફિલ્મનાં પ્રોમો માટે પણ ગયાં હતાં. તે સમયે જન્નત ફિલ્મને સારો રિસપોન્સ મળ્યો હતો. અને આ વખતે પણ જન્ન 2 ફિલ્મથી આઈપીએલ એ ડરવું જોઈએ."