રાશિ ચક્ર
ધન રાશિનો સ્વામી બૃહસ્પતિદેવ (ગુરુ) છે. તેઓ દેવગુરુ છે. ધન રાશિનું તત્ત્વ અગ્નિ તથા દ્વિસ્વભાવ રાશિ છે. બૃહસ્પતિ એ પૂર્વ દિશાના સ્વામી છે. આ રાશિ સતોગુણી તથા પુરુષ રાશિ છે.
આ રાશિના લોકો ઊંચા, સુગઠિત દેહ તથા માથું વધારે મોટું હોય છે. તેમની ભ્રમરો ખૂબ જ ઘાટી હોય છે. તેમનું નાક લાંબું હોય છે. કુલ સરવાળો કરીએ તો તેઓ સુંદર વ્યક્તિત્વના હોય છે. ગોળ ચહેરો, ગાલ ફૂલેલા તથા સ્વસ્થ અને બળવાન હોય છે.
ધન રાશિના જાતકો આક્રમક સ્વભાવના સાહસી અને પરિશ્રમી હોય છે. તેઓ મહત્ત્વાકાંક્ષી તથા ઉગ્ર પણ બની જાય છે. તેઓ અઘરામાં અઘરી સમસ્યાઓનો પોતાની ધીરજ, સાહસ અને પરિશ્રમથી ઉકેલ મેળવે છે. તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોય છે. અગ્નિતત્ત્વ રાશિ હોવાથી ર્સ્ફૂિત અને જોશ વધારે હોય છે. દ્વિસ્વભાવના હોવાને કારણે ઝડપથી નિર્ણય લઈ શકતા નથી. ઘણું સમજી-વિચારીને જ કોઈ પગલું ભરે છે. ક્યારેક ક્યારેક અભિમાનનું પ્રદર્શન પણ કરે છે. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે. યાત્રા કરવાના શોખીન હોય છે. ગુરુ તેમને ઉદાર હૃદય, આત્મવિશ્વાસ, સત્યવાદિતા અને આધ્યાત્મિક પ્રગતિ પ્રદાન કરે છે.
આ જાતકો ઉન્નતિની વધારે ઇચ્છા રાખનારા હોય છે તથા અનુશાસનપ્રિય પણ હોય છે. તેમના આ ગુણને કારણે તેમના શત્રુઓની સંખ્યા પણ વધારે હોય છે. આ લોકો ધાર્મિક પ્રવૃત્તિના પણ હોય છે. નિષ્ઠાપૂર્વક ધાર્મિક ક્રિયાક્લાપ પૂરા કરે છે અને સમયાંતરે તીર્થયાત્રા પણ કરે છે. તેઓ દાનશીલ અને ઉદાર પણ થવા લાગે છે અને આનંદપૂર્વક જીવન વ્યતીત કરે છે.
ધન રાશિની વ્યક્તિઓ નિસ્વાર્થી, મેધાવી તથા અનેક ભાષાઓની જ્ઞાાતા, સાહિત્યમાં રુચિ રાખનારી હોય છે. આ વ્યક્તિઓ બેંકર, પ્રોફેસર, નેતા, સારી સલાહકાર, વકીલ, અધ્યાપક, વેપારી તથા ઉપદેશક હોય છે.
રાજકારણ, કાયદો, ગણિત અથવા જ્યોતિષસંબંધી વિષયોમાં રુચિ ધરાવે છે. તેઓ ધૈર્યયુક્ત પ્રવૃત્તિથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરે છે. આ લોકો ભાષણ આપવામાં પોતાની સમગ્ર શક્તિ લગાવી દે છે. જો આ લોકો સૈનિક બને તો યુદ્ધમાં ક્યારેય પીઠ નહીં બતાવે. ધન રાશિના લોકો પોલીસ, લશ્કર અને સારા જાસૂસ પણ બની શકે છે.
યૌવનકાળ તથા લગ્નજીવનમાં આ રાશિની વ્યક્તિ વધારે સંઘર્ષ કરતી હોય છે. તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત રહેવું જોઈએ. તેમણે ફેફસાં અને વાયુ સંબંધિત રોગોમાં વધારે સાવચેતી રાખવી જોઈએ. જો આ રાશિ પર પાપગ્રહ શનિ, મંગળ કે રાહુનો પ્રભાવ હોય તો તેઓ દગાખોર અને વિશ્વાસઘાતી બની જતા હોય છે. પોતાના ગુણોનાં પોતે જ વખાણ કરે છે. પોતે એક મહાપુરુષ છે તેવો ઢોંગ પણ કરવા લાગે છે. તેઓ વચન આપીને ક્યારેય પૂરું કરતા નથી.
* ભાગ્યોદયઃ ૩૨ વર્ષ પછી શક્ય છે. ૩૬, ૪૨, ૪૫, ૫૪, ૬૩, ૭૨ અને ૮૧મું વર્ષ પ્રભાવશાળી તથા ભાગ્યવર્ધક વર્ષ હોય છે.
* મિત્રરાશિઃ મેષ તથા સિંહ.
* શત્રુરાશિઃ કર્ક, વૃશ્ચિક અને મીન.
* અનુકૂળ રત્નઃ પોખરાજ.
* શુભ દિવસઃ ગુરુવાર.
* અનુકૂળ દેવતાઃ ભગવાન વિષ્ણુ.
* અનુકૂળ અંકઃ ૩.
* અનુકૂળ તારીખોઃ ૩, ૧૨ અને ૩૦.
* વ્યક્તિત્વઃ ગુણગ્રી પ્રવૃત્તિ તથા અધ્યયનપ્રિયતા.
* સકારાત્મક તથ્યઃ બુદ્ધિવાદી, તર્ક અને લક્ષ્યપ્રાપ્તિ માટે સચેત.
* નકારાત્મક તથ્યઃ અવ્યાવહારિકતા અને દગાખોરી.
ધન રાશિના લોકોએ સૌભાગ્યશાળી રત્ન પોખરાજ પહેરવું જોઈએ. જેને પહેરીને તમે તમારા જીવનને તથા પોતાના લગ્નજીવનને સુખ-સમૃદ્ધિવાળું બનાવવા સક્ષમ થઈ શકો છો.
(મકર રાશિ વિશે આવતા અંકે)