Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 11:34:46 AM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

જૂનાગઢ જિલ્લામાં કાલે હનુમાન જયંતી ઉજવાશે

Apr 05, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 366
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ,તા,૪:

જૂનાગઢ જિલ્લામાં તા.૬ને શુક્રવારના રોજ હનુમાન જયંતીની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ તકે સુંદરકાંડના પાઠ, ધ્વજારોહણ, બટુકભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  • સુદરકાંડના પાઠ, બટુકભોજનનું આયોજન

ઉનાઃ ઉનાના સૂર્યમુખી હનુમાન મંદિર, તપોવન આશ્રમ, વાજડી હનુમાન મંદિર, રોકડીયા હનુમાન મંદિર બટુક હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી થશે. સવારે ધ્વજારોહણ, મહાઆરતી, બટુકભોજન, સાંજે સત્યનારાયણની કથા, ફૂલપૂજા યોજવામાં આવશે. રામધૂન અને સુંદરકાંડના પાઠ થશે.

ધોરાજીઃધોરાજીના દરબારગઢ ખાતે આવેલ બાલયોગી હનુમાન મંદિરે હનુમાન જયંતી મહોત્સવ નિમિતે ૧૧૧ હનુમાન હોમાત્મક મહાયજ્ઞા, લોકડાયરો, મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢઃ જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે આગામી તા.૬ ના રોજ હનુમાન જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૬ કલાકે મંગળા આરતી, ૭ કલાકે ચોલા શ્રૃંગાર, ૧૦:૩૦ સુધી ભાવિકો માટે પૂજા અને ત્યારબાદ દાદાને થાળ ધરવામાં આવશે. રાત્રે ૯ વાગ્યા સુધી થાળના દર્શન થશે. ઉજવણી માટે પૂજારી વસંતબાપુના માર્ગદર્શન હેઠળ કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com