નવી દિલ્હી 5, એપ્રિલ
સરકારને જણાવ્યાં વગર સૈનિક દળોની દિલ્હી કરવામાં આવેલી બદલીની રિપોર્ટને સેના અને સરકારે બરખાસ્ત કરી નાંખી છે, ત્યારે હવે આ ઘટના પાછળનાં સૂત્રધારને લઈને વાત ચર્ચામાં આવી છે. આ તમામ પ્રકરણ પાછળ માસ્ટરમાઈન્ડ કેન્દ્ર સરકારનાં એક સીનિયર મંત્રી છે તેવું કહેવાઈ રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ મંત્રી પોતાના એક સંબંધીની મદદથી રક્ષા અને સૈન્યનાં સામાનનાં ખરીદ વેચાણની લોબીમાં જોડાયેલાં છે. ઉલ્લેખનીય છે કે દલાલોની આ લોબી જનરલ વી.કે.સિંહને આર્મી પદથી હટાવવા માંગે છે.
'ધ સન્ડે ગાર્ડિયન' ની રિપોર્ટ પ્રમાણે મંત્રીને લાગ્યું કે પદભ્રષ્ટની શંકાથી રાજકીય પક્ષો આર્મી ચીફનાં વિરુદ્ધ થઈ જશે, પરંતુ તેમની આશંકા સાચી સાબિત થઈ નથી. પદભ્રષ્ટની આશંકા વાળી રિપોર્ટને વડાપ્રધાન અને રક્ષામંત્રી એન્ટોની સહિત વિપક્ષી નેતાઓએ બરખાસ્ત કરી નાંખી છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર મંત્રીએ સૈન્યનાં હથિયારોની હેરાફેરી કરી તેની ઈન્ટેલિજન્સ બ્યૂરોને આ મામલાની જાણ પણ થઈ નથી. કારણ કે પ્રભાવશાળી વ્યક્તિઓ પર ગુપ્ત એજન્સીઓ નજર રાખતી નથી. હથિયારોની હેરફેરીનું ગ્રુપ ઘણું મોટું છે. જેમાં લંડન, બેંગ્કોક અને દુબઈની પ્રભાવશાળી વ્યક્તિઓ પણ જોડાયેલી છે.