રાજકોટ, તા. 05
આવતીકાલથી સૌરાષ્ટ્રમાં કિસાન હિત યાત્રા લઈને નીકળનાર પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ સીગતેલના ભાવવધારા મુદ્દે પત્રકારોને યોગ્ય જવાબ આપી નહોતા શક્યા.
કેન્દ્ર સરકારે લાદેલા નિયંત્રણો અન્ય બાબતો પર ચર્ચા કરીને કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોને અન્યાય કરી રહ્યાની લાંબી વિગતો આપ્યા બાદ જ્યારે સિંગતેલના ભાવવધારાનો મુદ્દો ઊઠયો ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુ યોગ્ય જવાબ નહોતા આપી શક્યા. રાજ્ય સરકાર સિંગતેલ મુદ્દે નિષ્ળરહ્યાની બુમરાડ પત્રકારોએ કરતા પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર મામલો સંભાળ્યો હતો. પામતેલની આયાતના પ્રયાસો તેમજ રાજ્યમાં ગરીબોને સસ્તા ભાવે તેલ આપવાની વિગતો આપી હતી અલબત, સિંગતેલના ભાવને સરકાર વતી તેઓ યોગ્ય રીતે જવાબ આપી નહોતા શક્યા.