Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 08:29:11 PM IST
 

અમરનાથનાં શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનાં ભાડા ઘટ્યાં

Apr 06, 2012 Offbeat
 
Tags:   Amarnath Yatra Jammu and Kashmir Navin Choudhary comment     E-Mail     Print    
 
Viewed: 5700
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

શ્રીનગર 6, એપ્રિલ

જમ્મુ કાશ્મીરમાં આવેલ પવિત્ર હિંદુઓનું તીર્થધામ અમરનાથની ગુફા સુધી જતાં હેલિકોપ્ટરનાં ભાડાં ઘટાડવામાં આવ્યાં છે. જે અંતર્ગત લગભગ ભાડું  35 ટકા ઘટાડવામાં આવ્યું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્રારા આ માહિતી આપવામાં આવી હતી.

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડનાં મુખ્ય અધિકારી નવીન ચૌધરીએ જણાવ્યું હતું કે "અત્યારનાં સમયમાં દુનિયાભરમાં વિમાનનાં ભાડાં વધી રહ્યાં છે,ત્યારે શ્રદ્ધાળુઓ માટે આ મહત્વની વાત છે." નવીન ચૌધરી રાજ્યપાલનાં પ્રધાન સચિવ પણ છે.

હેલિકોપ્ટરનું ભાડું બાલટાલ-પંજતારણી માર્ગ પર 40 ટકા અને પહેલગાંવ-પંજતારણી માર્ગ પર 35 ટકા ઘટાડવામાં આવ્યું છે. સમુદ્રતળથી 3,888 મીટરની ઉંચાઈ ધરાવતી અમરનાથ ગુફાએ હેલિકોપ્ટરમાં થઈ જવાનાં બે માર્ગ છે. એક પહેલગાંવ અને બીજો બાલટાલ. આ બંને માર્ગો શ્રીનગરથી 100 કિલોમીટરથી દૂર છે.

આ વર્ષની અમરનાથ યાત્રામાં બાલટાલ-પંજતારણી માર્ગ પરનું ભાડું 2425થી ઘટાડીને 1445 કરવામાં આવ્યું છે અને પહેલગાંવ-પંજતારણી માર્ગ પરનું ભાડું 3495 થી ઘટાડીને 2355 કરવામાં આવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 25 જૂનથી 2જી ઓગસ્ટ સુધી ચાલશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com