ઉજ્જૈન, તા. 08
લક્ષ્મીની કૃપા મોંઘવારીના સમયમાં કોણ નથી ઈચ્છતું? તમે કોઈપણ કામ કરો અને તેમાં લાભ મળવા લાગે અને પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ બન્યું રહે માનવામાં આવે કે ઘરમાં લક્ષ્મીનો નિવાસ છે. લક્ષ્મી માતા તમારા ઘરમાં રહી શકે છે. પરંતુ આની માટે સૌથી જરૂરી છે તે તમારા ઘરનું મુખ્યદ્વાર વાસ્તુદોષથી મુક્ત હોય. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, ઘરનું ભાગ્ય પ્રવેશદ્વાર પર લખાયેલું હોય છે. આની અસર ઘરમાં રહેનાર લોકો પર થાય છે.
પ્રવેશદ્વારની દિશા
ઘરમાં પ્રવેશદ્વારની દિશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશાની તરફ ન હોવી જોઈએ. ઘરનું મુખ્યદ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો કોઈ ઘરમાં બે દરવાજા હોય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બંને એકબીજાની સામે ન હોય.
ક્યાં હોય મુખ્યદ્વાર?
મુખ્યદ્વાર ક્યારેય વચમાં ન હોવું જોઈએ. ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર જે દીવારની સાથે મુખ્યદ્વાર બનાવવો હોય તે દીવારને નલ ભાગમાં વહેંચવી. પછીથી ભવનમાં પ્રવેશની દિશા જમણી અને પાંચ ભાગ ડાબી બાજુ ત્રણ ભાગ છોડીને પ્રવેશદ્રાર બનાવવો જોઈએ. આનાથી પ્રવેશ મોટો થશે. માનવામાં આવે છે કે આવું હોવાથી આવક વધી જાય છે અને વ્યય ઓછો થાય છે.
'વાસ્તુ વેધ'થી બચો
મુખ્યદ્વારની સામે મંદિર, વૃક્ષ, કૂવો અથવા સ્તંભ ન હોવો જોઈએ. આને વાસ્તુ વેધ કહેવાય છે. એટલે કે લક્ષ્મીનો પ્રવેસ અવરોધાય છે. આનાથી બચવા માટેનો ઉપાય વધુ કઠીન નથી. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, તમારે એટલીવાતનું ધ્યાન રાખવાનું કે ઉપરોક્ત ચીજો ભવનની ઊંચાઈથી બેગણી
દૂર હોય. આને લીધે વાસ્તુ વેધ નહીં નડે.