Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:58:22 AM IST
 

કે.પી. ભવનનાં સંકુલ, સરદાર પટેલની પ્રતિમાનું રાજ્યપાલના હસ્તે અનાવરણ કરાશે

Apr 09, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 234
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૮

શહેરના ગુલબાઇ ટેકરાસ્થિત આવેલાં કે.પી. ભવનના નવાં સંકુલનું ભૂમિપૂજન, શિલાન્યાસનું ભૂમિપૂજન અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ આવતી કાલ સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે ગુજરાતનાં રાજ્યપાલ શ્રીમતી ડો. કમલાજીના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના શહેરી વિકાસમંત્રી નીતિનભાઈ પટેલ અતિથિવિશેષ તરીકે હાજર રહેશે. નોંધનીય છે કે નીતિનભાઇના પિતા આ સંસ્થામાં ત્રણ વર્ષ રહ્યા હતા.

કે.પી. ભવનની સ્થાપના ૧૯૩૦માં કરવામાં આવી હતી. છેલ્લાં ૮૨ વર્ષથી કાર્યરત આ જૂની સંસ્થામાં અત્યારસુધી ૧૬ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને, રહીને ગયા છે તેઓ હાલમાં ડોક્ટર, સી.એ, એન્જિનિયર અને રાજકારણમાં છે. હાલમાં આ સંસ્થામાં ૨૪૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com