ઢાકા 10, એપ્રિલ
ટેસ્ટ દરજ્જો મળ્યાને ૧૨ વર્ષ બાદ બાંગલાદેશની ટીમ પ્રથમ વાર આ વર્ષે ભારતપ્રવાસે ટેસ્ટશ્રેણી રમવા આવે તેવી પૂરી સંભાવના છે. બાંગલાદેશની ટીમ જુલાઇમાં ભારતમાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે રમે તેવી સંભાવના છે. બાંગલાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ મુશ્તફા કમાલે જણાવ્યું હતું કે બીસીસીઆઇ પ્રમુખ એન.શ્રીનિવાસને બાંગલાદેશના ભારતપ્રવાસ માટે આતૂરતા દર્શાવી છે.