Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:13:48 PM IST
 

પાલમપુરમાં બનશે ટી-મ્યૂઝિયમ

Apr 11, 2012 Business > Business News
 
Tags:   Anand sharma Tea Museum Palampur Kangra tea Himachal comment     E-Mail     Print    
 
Viewed: 991
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. 11

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી આનંદ શર્માનું કહેવું ચે કે, હિમાચલની કાંગડા ચાને ટ્રેક પર લાવવા માટે ઘણાં પગલાં ભરવા પડશે. તેમને પાલમપુરમાં ટી બોર્ડ ક્ષેત્રીય કાર્યાલયના શુભારંભ પર કહ્યું કે આઈએચબીટી પાલમપુરમાં 50 લાખ રૂપિયાના ખર્ચે ટી-મ્યૂઝિયમ બનાવાશે.

નાની ચા ઉત્પાદકો માટે એક મશીનીકરણ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. તેમની માટે કલેકશન સેન્ટર પણ હશે. જૈવિક ચા માટે અન્ય રસ્તાઓ હશે તેમને વધુમાં જણાવતા કહ્યું કે ભારત દુનિયામાં મોટો ચા ઉત્પાદક દેશ છે. દેશ આ સમયે 10 કરોડ કિલોગ્રામ ચા નિકાસ કરે છે. આમાં એક ટકા ઉત્પાદન હિમાચલમાંથી થાય છે.

દેશભરમાં બંધ પડેલ ચાના 53માંથી 49 યૂનિટોને ચાલુ કરવામાં આવ્યા છે. કાંગડા, ચંબા અને મંડી ચાને સુધારવા માટે પ્રદેશ સરકાર જમીનની ફાળવણી કરાવતી હોય છે અથવા તો અન્ય બાબતોમાં મદદ કરતી હોય છે. ચાને સંકટથી બચાવવા માટે 11માં નાણાકીય પંચ પછી 12માં નાણાપંચમાં ખાસ પેકેઝ રખાશે તેમ તેમને ઉમેર્યું હતું.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com