ઉજ્જૈન, તા. 12
આવતીકાલે 13 એપ્રિલના રોજ વૈશાખ છે. સૂર્ય આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પહોંચતો હોય છે. આ રાશિમાં સૂર્ય પહોંચતા મેષ સંક્રાંતિ થાય છે.આની સાથે જ મલમાસ સમાપ્ત થાય છે. જેનાથી એક માસ અગાઉથી શુભકાર્યો પર લાગેલી રોક હટી જશે, અને મૂંડન, લગ્ન, જનોઈ, વાસ્તુ વગેરે કાર્યો ચાલુ થઈ જશે. શાસ્ત્રોમાં મેષ સંક્રાંતિને ખૂબ મહત્ત્વ અપાયું છે. આ સંક્રાંતિના દિવસે પુણ્ય કાલમાં સ્નાન કરવાથી પૂજા, પાઠા હોમ વગેરેથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે જે પણ દાન-પુણ્ય કરે છે તેને મૃત્યુ પછી પરલોકમાં તમામ વસ્તુઓ મળે છે.
મેષ સંક્રાંતિ પર શું કરવું
આ દિવસે પુણ્ય કાળ હોવાથી કોઈ નદી અથવા સરોવરમાં સ્નાન કરો. આ સંભવ ન હોય તો સ્નાન માટે રાખેલ જળમાં ગંગા જળ મેળવીને સ્ના કરો. પછીથી સૂર્ય દેવ અને ભગવાન મધુસૂદનની પૂજા કરો. મધુસૂદન આ માસનો સ્વામી છે આની પૂજા કર્યા પછી સંકલ્પ કરો કે કોઈ ભૂખ્યા અથવા તરસ્યાને પાણી પાશું. ભૂખ્યાને ભોજન કરાવવું. આ દિવસે દાનને ઉત્તમ મનાય છે. ગોળ, અનાજ, કેરી આ તમામ વસ્તુઓનું દાણ પુણ્ય લાવનારું ગણાયું છે. શાસ્ત્રો પ્રમાણે ગોધૂલી સમયે દાન ઉત્તમ ગણવામાં આવે છે.
મેષ સંક્રાંતિનો રાશિ પર પ્રભાવ
મેષ સંક્રાતિને લીધે સૌથી સારો પ્રભાવ સિંહ અને મેષ રાષિના જાતકો પર પડશે. આ માસ અન્ય માટે સારો છે. જ્યારે વૃષભ, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના જાતકો માટે શુભ મનાય છે.