Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 08:55:47 PM IST
 

ઘોરાજી, ઉપલેટા, જેતપુરમાં કિસાન હિત યાત્રાનો ધબડકો

Apr 13, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 505
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટઃ

પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુની આગેવાનીમાં નીકળેલી કિસાન હિત યાત્રાને જોઈએ તેવો પ્રતિસાદ ન સાંપડતાં   યાત્રાના સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. સ્થાનિક આગેવાનોને પણ નબળી કામગીરી બદલ ઠપકો આપવામાં આવ્યાની વિગતો સાંપડે છે. રાજકોટથી રવાના થયેલી કિસાન હિતયાત્રાને એક માત્ર ગોંડલમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ગોંડલમાં સ્થાનિક કાર્યકરો, આગેવાનોની મહેનતને કારણે સારી એવી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. બાદમાં જેતપુર, ઘોરાજી કે ઉપલેટમાં કિસાન હિતયાત્રાની સભાઓમાં જુજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો પણ હાજર રહ્યા ન હોવાનો રિપોર્ટ થયો હતો. કિસાન હિત યાત્રા કરતા અન્ય કાર્યક્રમમાં ભીડ ઉપસ્થિત રહી હતી. ખેડૂતો જ આગેવાનોને સાંભળવા આવતા ન હોય તેના કારણે યાત્રાના સંચાલકોએ જિલ્લાના આગેવાનો સુધી નારાજગી પહોંચાડી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com