સુરત, તા. 13
રાજ્યના મહેસૂલ વિભાગે બે માસ અગાઉ રેવન્યૂ વિભાગના ત્રીજા વર્ગના કર્મચારીઓ આંતરજિલ્લા બદલી કરવાને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો હતો. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ત્રીજા વર્ગના કર્મચારીઓમાં નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ ખફા થયા છે. આ મુદ્દે સુરતથી લડતના મંડાણ પણ થયા હતા જે સમગ્ર રાજ્યમાં ફેલાયા હતા.
ત્રીજા વર્ગના કર્ચમારીઓની વાતનો પડઘો આખરે સરકારના કાને પડ્યો હતો. કોઈ પણ નીતિવિષયક નિર્ણયલેવાની સત્તા આ ત્રીજા વર્ગના કર્મચારીઓનાં પાસે ન હોઈ આ બાબતે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું હતું 15 દિવસ અગાઉ સરકારે આ નિર્ણય સ્થગિત કર્યો હોવાનું જાણ કરી હતી. આખરે હવે આ વિવાદિત નિર્ણય પર પૂર્ણ વિરામ મૂકતા સરકારે બે માસ પહેલા જાહેર કરેલ પરિપત્ર રદ કર્યો હતો. કર્મચારીઓના ખુશીની લાગણી ફેલાઈ હતી.