રાજકોટ :
મનોહરમુનિ સાથે જે ઘટના બનવા પામી છે. એ વિશે ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના સભ્યો ઘટનાની વિગતો મેળવ્યા બાદ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, સંપ્રદાયની પરંપરા અનુસાર, જૈન શાસ્ત્રોનુસાર આચાર બોધની વિશુદ્ધિ કરાશે. તેમજ મનોહરમુનિ મહારાજ ગોંડલ સંપ્રદાયના સંત તરીકે માન્ય છે. આ ઉપરાંત સંપ્રદાયની ગરિમા અને ગોંડલ ગચ્છની ગરિમા જળવાઈ રહે એ માટે શાસ્ત્રોકત આજ્ઞાા પ્રમાણે અને આચારસંહિતા પ્રમાણે વર્તન કરવા સૌને અનુરોધ કરાયો છે.
જેમાં કોઈ પણ સાધુએ એકાંતમાં બહેનોને મળવું નહીં, કે, બેસવું નહીં. તથા સાધ્વીજીએ કોઈ પણ ભાઈઓ સાથે એકાંતમાં બેસવુ કે, મળવું નહીં (તબીયતના કારણમાં અપવાદ) સૂર્યાસ્ત બાદ સાધુ બિરાજિત હોય ત્યારે બ્હેનોએ ધર્મસ્થાનકમાં આવવું નિષેધ છે. અને સાધ્વીજી બિરાજિત હોય ત્યારે ભાઈઓએ આવવું નિષેધ છે. આ બાબતનો પરસ્પર સૌએ ચુસ્ત અમલ કરવા સમિતિએ જણાવ્યુ છે.