સુરત 14,એપ્રિલ
સુરત રેલવે સ્ટેશનનો સિગ્નલ ટાવર બદલવાનો હોવાથી સોમવારે બપોરનાં સમયની ટ્રેન નિશ્ચિંત સમય કરતાં થોડી મોડી પડશે. સોમવારે પશ્ચિમ રેલવે તંત્ર દ્રારા સુરતનાં રેલવે સ્ટેશન પરનાં પ્લેટફોર્મ નંબર 4 પાસે આવેલો સિગ્નલ ટાવર બદલવાની કામગીરી કરવામાં આવનાર છે જેથી સવારે 9 વાગીને 45 એ શરૂ થઈ આ કામગીરી ત્રણ કલાક સુધી થશે, જેથી ત્રણ કલાક માટે બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.
આ કારણે મુંબઈથી આવતી ભૂતાવળ પેસેન્જર, વિરાર અને ઈન્ટરસીટીને ઉધના ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે સુરત-જામનગર ઈન્ટરસીટી, જોધપુર જનતા, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, નવજીવન એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ બ્રાન્દ્રાં- ચંદીગઢ એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, ઓખા અર્નાકુલમ જેવી અનેક ટ્રેનો દોઢ કલાક સુધી મોડી પડવાની શક્યતા છે.