નવી દિલ્હી 14, એપ્રિલ
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ફરીથી કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સામે આંદોલન કરવાની તૈયારી કરી દીધી છે. જો કે આ વખતે તેમનું આંદોલન લોકપાલ બિલને બદલે આરટીઆઈનાં કાયદાને લઈને કરવામાં આવશે.
અન્ના હજારે જણાવ્યું હતું કે જો વડાપ્રધાન દ્રારા રાઈટ ટૂ ઈન્ફોર્મેશનનાં કાયદામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો તેમની ટીમ આંદોલન કરશે. ઉપરાંત રાલેગણમાં અન્નાએ મીડિયાને સંબોધીને શનિવારે કહ્યું હતું કે જો રાજ્યમાં મજબૂત લોકપાલ નહીં આવે તો પણ તેમની ટીમ આંદોલન કરશે. રાજ્યનાં મુખ્યમંત્રીએ કરેલાં વાયદા પૂરા કર્યાં નથી.
વડાપ્રધાન આરટીઆઈનાં કાયદામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે. આરટીઆઈનાં કારણે ભ્રષ્ટ્રાચારમાં ઘટાડો નોંધાયો છે અને સરકાર ભ્રષ્ટ્રાચારને નાબૂદ કરવા માંગતી નથી.