શહેરનો એક મોટો વર્ગ એવું માને છે કે એહમદશાહ બાદશાહના પહેલાંના સમયમાં અમદાવાદ એક શહેર ન હતું, માત્ર નાનાં નાનાં ગામડાંઓમાં વહેંચાયેલું હતું. એહમદશાહે આ ગામડાં પર પોતાનું પ્રભુત્ત્વ સ્થાપ્યું અને તેને એક કર્યા અને એ શહેરને લોકો એહમદાબાદ તરીકે ઓળખવા માંડયાં, ત્યારથી એ નક્કી કરવામાં આવ્યું કે આ સ્થળ પર માર્કેટ ભરાશે અને આ સ્થળ પર લોકોનાં કામ માટે ઉદ્યોગો સ્થપાશે, આમ, ખરા અર્થમાં શહેરની સ્થાપના અહેમદશાહ બાદશાહે કરી એવું શહેરનાં મોટાભાગનાં લોકોનું માનવું છે.