અમદાવાદ, તા.૨૮
રાજ્યમાં તેલના જથ્થાબંધ અને રીટેલ વેપારીઓ ઉપર નાગરિક પુરવઠા વિભાગે સ્ટોક લિમિટ મૂકી હોવા છતાં તેલીયા રાજાઓની રાજકિય સાંઠગાંઠને પગલે સિંગતેલના ભાવમાં ફરી તેજીનો જુવાળ ભભૂકતો જોવા મળે છે.
પાંચ એપ્રિલના રોજ પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કરીને જથ્થાબંધ વેપારીઓ માટે ૪,૦૦૦ ડબ્બા (૧૫ લિટર) અને છૂટક વેપરીઓ માટે ૩૦૦ ડબ્બાની સ્ટોક મર્યાદા લાગુ કરી હતી. તેમજ ઓઈલ મિલરો માટે વાર્ષિક જરૂ રિયાત પ્રમાણેના કાચા માલનો બે માસનો પુરવઠો અને પાકા માલનો એક માસ સુધીનો પુરવઠો રાખવા જણાવ્યું હતું. સ્ટોક લિમિટ લાગુ થયા બાદ અમદાવાદમાં છેલ્લા ૨૦ દિવસમાં સિંગતેલના નવા ડબ્બાનો ભાવ રૂ . ૭૦ વધીને રૂ . ૨,૨૦૦ની નજીકો પહોંચી ગયો છે. પુરવઠા વિભાગ પણ આ ભાવવધારા સામે આંખ આડા કાન કરી રહ્યું છે. તેલબજારમાં મોટા વેપારીઓની રાજકીય સખાવતને પગલે નાના વેપારીઓ ઉપર દરોડાની કાર્યવાહી કરી મોટા માથાઓને છૂટો દોર મળી ગયો છે.
- પુરવઠા વિભાગે સ્ટોક લિમિટ લાગુ કર્યા પછી પણ સિંગતેલમાં ડબ્બે રૂ . ૭૦નો વધારો!
- તેલિયારાજાઓની બેફામ સટ્ટાખોરી સામે સામાન્ય માણસ લાચાર
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઓઈલ મિલો હોવાને કારણે પુરવઠા વિભાગના દરોડા શાંત પડતાં ફરી તેલિયારાજાઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. ચાલુ વર્ષે રાજ્યમાં ઉનાળુ મગફળીનું લગભગ ૮ લાખ હેક્ટર