મુંબઈ, તા. 29
30 વર્ષ પછી બોલિવૂડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે ફરીથી 'સિલસિલા' શરૂ થઈ શકે છે. એક સમારોહમાં આ સંદર્ભમાં સવાલ પૂછવામાં આવતા, અમિતાભે જણાવ્યું કે, "જો કોઈ સારો પ્રસ્તાવ મળશે તો રેખાની સાથે જરૂર કામ કરીશ.''
બોલિવૂડની વીતેલા જમાનાની સૌથી સફળ રોમેન્ટિક જોડી અમિતાભ અને રેખાને વર્ષ 1981માં રૂપેરી પડદે પ્રદર્શિત થયેલી ફિલ્મ 'સિલસિલા' પછી ક્યારેય બંનેએ એકસાથે કામ નથી
કર્યું, આમ તો આના ઘણાં કારણો હોઈ શકે છે પરંતુ આની પાછળ ક્યું કારણ છે તે ક્યારેય સામે નથી આવ્યું. બોલિવૂડના ઘણાં નિર્દેશકો આ બંને જોડીને એકસાથે લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે પણ તમામ નિષ્ફળ જ રહ્યા છે.
હવે, 30 વર્ષ પછી જ્યારે દરેક આ જોડીને એકસાથે જોવા ઈચ્છે છે. જો એક સુંદર સ્ટોરી મળી જાય તો આ સપનું હકીકતમાં ફેરવાઈ શકે છે, ખુદમહાનાયક અમિતાભે આ જણાવ્યું છે.