નવી દિલ્હી, તા. 29
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું નામ રાજ્યસભામાં નામાંકનથી મચેલા હોબાળાને જરાપણ મહત્વ ન આપતા સૂર સામાજ્ઞી લતા મંગેશકરે જણાવ્યું કે આ ચેમ્પિયન ક્રિકેટર સારો સાંસદ સાબિત થશે પણ શરત એટલી કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમથી સમય કાઢી શકે.
તેંડુલકર સંસદના મોટા ગૃહ માટે નામાંકન થનાર પ્રથમ સક્રિય ખેલાડી છે. તે આ માટે હકદાર પણ છે પંરતુ ખબર નહીં ક્રિકેટ અને સંસદની વચ્ચે તે સમતોલન કઈ રીતે બેસાડશે. તેમને વધુમાં જણાવ્યું કે સચિન ઘણો વ્યસ્ત રહે છે આતંરરાષ્ટ્રીય સ્તરે પર ઘણું ક્રિકેટ હોવાથી રાજ્યસભાના સેશનમાં નિયમિત હાજર રહેવું ખૂબ મુશ્કેલ હોય. આ સમતોલન બેસાડવું તેમની માટે ઘણું કઠણ હતું. વર્ષ 1999માં રાજયસભા માટે નામાંકિત થયેલ લતાએ પોતાના અનુભવને જણાવતા કહ્યું કે તેમના માટે નિયમિત હાજર રહેવું ખૂબ મુશ્કેલ હતું. આ 82 વર્ષીય પાશ્વગાયિકાએ જણાવ્યું કે હું રાજ્યસભામાં ખૂબ ઓછી જઈ શકી હતી કારણ કે મારે દરરોજ રેકોર્ડિંગ રહેતી હતી. મારા માટે આ ખૂબ મુશ્કેલ હતું કે મને મારા કાર્યકાળમાં સંસદમાં એક શબ્દ પણ ન બોલ્યો અને ઘણી ટીકાઓ સાંભળી, પરંતુ બધુ મળીને મારો અનુભવ સારો રહ્યો હતો.
તેમને વધુમાં ઉમેર્યું કે, "હું સચિનની ખૂબ મોટી મુરીદ (શિષ્ય)છું, કે એમાં ઘણી સારી અપેક્ષાઓ લગાવી છે. હું ઈચ્છું છું કે કે તેઓ રમતા જ રહે સંન્યાસ ના લે."