લંડન, તા. 02
જો તમે ફૂડ પૉઈઝનિંગ (ઝેરી ખોરાક) કે અથવા અન્ય બેકટેરિય ઈન્ફેકશનના શિકાર થઈ ગયા હોવ તો તબીબ પાસે જતા પહેલા ગભરાતા નહીં. લસણની કેટલીક કળિયો આના પ્રભાવને ઓછો કરવામાં મદદ કરી શકે છે. તાજેતતરમાં કરવામાં આવેલ એક શોધમાં એ વાત સામે આવી કે ફૂડ પૉઈઝનિંગ થાય ત્યારે લસણ અન્ય કોઈ એન્ટિબાયોટિકની સરખામણીમાં 100 ઘણું વધુ અસરદાર છે.
બેક્ટેરિયાથી લડવા આના ગુણ ફૂડ પૉઈઝનિંગની અસરને ઓછી કરવામાં ખૂબ મદદગાર છે. અભ્યાસમાં જોવામાં આવ્યું કે આમાં રહેલ ડાયલિલ સલ્ફાઈડ કોઈપણ બેકટેરિયાથી જાળમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે અને તે મજબૂત થાય તે પહેલાં જ તેને સમાપ્ત કરે છે. આ સ્ટડી 'જર્નલ ઑફ એટિમાઈક્રોબિયલ કીમોથેરાપીમાં 'પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સ્ટડી પ્રકાશિત થયા તેની પછી માનવામાં આવી રહ્યું છે કે આનાથી મેડિકલ વિશ્વમાં ટ્રીટમેન્ટ માટે નવો રસ્તો ખુલી જશે, એટલું જ નહીં ખાસ કરીને માંસના પ્રોસેસિંગ માટે લસણનો વપરાશ વધશે.