મુંબઈ 5, મે
કલર્સ ચેનલ પર આવતી ટીવી સિરીયલ 'બાલિકા વધૂ' માં આનંદીનું પાત્ર ભજવતી પ્રત્યૂષા બેનર્જી કહે છે કે તેઁણે અભિ્નેત્રી બનવાનું ક્યારેય વિચાર્યું નહોતું. જ્યારે બાલિકા વધૂમાં આનંદીની વધતી ઉંમરને ધ્યાનમાં લઈ નવી આનંદીની શોધ કરવામાં આવી હતી, ત્યારે પ્રત્યૂષાને વોટ મેળવી પસંદ કરવામાં આવી હતી.
આનંદીએ જણાવ્યું હતું કે, આ ગ્લેમર વર્લ્ડનું મને આકર્ષણ તો પહેલેથી જ હતું, પરંતુ હું અભિનેત્રી બની જઈશ તેનો મને ખ્યાલ નહોતો. હું હંમેશા એક મોડેલ બનવા માંગતી હતી, પરંતુ મારા કદને કારણે મારી ઈચ્છા સફળ થઈ શકી ન હતી.
તેણે પોતાના પરિવાર વિશે જણાવતાં કહ્યું હતું કે, હું બંગાળી પરિવારમાંથી આવું છું જેનાં કારણે મારી માએ મને ક્યારેય પ્રોત્સાહન આપ્યું નહોતું. જો કે વોટનાં અંતે મારી પસંદગી થઈ ત્યારે મારા માતાપિતાએ મને સહયોગ આપ્યો હતો. મને આનંદ છે કે મારા પાત્ર દ્રારા સમાજમાં જાગૃતિ આવી રહી છે. મારા પાત્રને દર્શકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.