અમદાવાદ,તા.૬
યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા. ૭મીથી એફવાયબીએ, બીકોમ, બીએસીના પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની, બીબીએ-બીસીએ (રીપીટર), એમ.એ.-એમ.કોમ. સેમેસ્ટર ૧-૩ના મળીને ૫૨ હજાર વિદ્યાર્થીઓની ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં બેસનારા કેટલાક વિદ્યાર્થીઓની હોલટીકીટમાં વિષયનું નામ, ફોટો નથી. જેને લીધે છેલ્લી ઘડીએ હોલટીકીટ સુધારવા જવાની વિદ્યાર્થીઓને ફરજ પડી હતી. બીજીબાજુ આડેધડ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમુક કોલેજોમાં પાંચસોથી હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા હોય તો તેની સામે તેના કરતા વધારે વિદ્યાર્થીઓ ફાળવી દેવામાં આવતીકાલે સોમવારે વિદ્યાર્થીઓને બેઠકક્રમાંક શોધવા છેલ્લી ઘડીએ દોડવું પડે તેવી સ્થિતિ સર્જાવવાની શકયતા છે.