મુંબઈ 7, મે
બોલિવૂડ અભિનેતા આમિર ખાનનો ટીવી શૉ 'સત્યમેવ જયતે' ની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તે આમિર ખાનની જેમ વિવાદમાં ફસાઈ ગયો છે. યૂફોરિયા બેંડે એવો દાવો કર્યો છે કે આમિર ખાનનાં શૉ નું થીમ સોંગ તેમનાં કોરસ બેંડનાં જૂનાં 'સત્યમેવ જયતે' ગીત પરથી લેવામાં આવ્યું છે.
યૂફોરિયા બેંડનાં પ્રમુખ ગાયક પલાશ સેને કહ્યું હતું કે,"આમિરનાં શૉનું ગીત સાંભળીને મને આશ્ચર્ય થયું." પલાશે આ મામલે ક્રિએટીવ ટીમને કાયદાકીય નોટિસ પણ મોકલી છે. જો કે આ ગીતને કંપોઝ કરનાર રામ સંપતે આ મામલે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે.
'સત્યમેવ જયતે'નવા અભિયાનને પ્રોત્સાહન મળી રહેશે
ગઈકાલે રવિવારે આમિર ખાનનો ટીવી શૉ 'સત્યમેવ જયતે' સવારનાં 11 વાગે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને દર્શકોનો જબરદસ્ત રિસપોન્સ મળ્યો હતો.