નવી દિલ્હી 11, મે
શુક્રવારે બજાની નજર માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર રહેશે. કેબિનેટે માઇક્રોફાઇનાન્સ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં આરબીઆઇના અધિકારોમાં વધારો કરવામાં આવ્યો છે. માઇક્રોફાઇનાન્સ બિલ અનુસાર માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર હવે માત્ર આરબીઆઇ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ જ લાગુ થશે. પરંતુ કેબિનેટ ઇન્શ્યોરન્સ અને કોલસા રેગ્યુલેટર બિલ જેવા બે મહત્વપુર્ણ સુધારાઓ પર કોઇ નિર્ણય નથી લઇ શકી.
માઇક્રોફાઇનાન્સ બિલ હેઠળ સીબીઆઇ માઇક્રોફાઇનાન્સ સેક્ટરને રેગ્યુલેટ કરશે. આ સિવાય આરબીઆઇ જ માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે વ્યાજ દર, ફી અને પ્રીમિયમ નક્કી કરશે. માઇક્રોફાઇનાન્સ કંપનીઓએ આરબીઆઇની પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
માઇક્રોફાઇનાન્સ સેક્ટરની લગામ આરબીઆઇના હાથમાં હોવાના કારણે માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ઘણી ખુશ છે. આ સેક્ટરની સૌથી મોટી કંપની એસકેએસ માઇક્રોફાઇનાન્સના જણાવ્યા અનુસાર માઇક્રોફાઇનાન્સ બિલ મંજૂર થવાથી કંપનીને ડૂબેલા ઋણનો હિસ્સો રિકવર કરવામાં મદદ મળશે. માઇક્રોફાઇનાન્સ બિલની અસર 2-3 વર્ષમાં જોવા મળશે.
એમએફઆઇએનના ચેરમેન વિજય મહાજને કહ્યું કે આ નિર્ણય આખો દેશની નાણાકીય વ્યવસ્થા માટે યોગ્ય છે. માઇક્રોફાઇનાન્સ ડેવલોપમેન્ટ કાઉન્સિલ બનાવવાથી આખા સેક્ટરને રાહત મળશે.