નવી દિલ્હી, તા. 13
વડાપ્રધાન મનમોહન સિંહે દેશમાં લોકતંત્રના મૂળિયા અને લોકતાંત્રિક પ્રણાલીમાં લોકોને અતૂટ વિશ્વાસને તેની શક્તિ ગણાવતા કહ્યું કે, આના લીધે જ દેશે દુનિયામાં સમ્માનજનક સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાને ભારતીય સંસદના 60 વર્। પૂરા થયાન પ્રસંગે પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું હતું.
મનમોહન સિંહે જણાવ્યું કે, દેશમાં લોકતંત્રની જડો એટલી ઊંડી છે કે નીતેના સ્તર સુધી મજબૂતીની સાથે ફેલાઈ ગઈ છે. લોકો સંસદ માટે નહીં વિધાનસભાઓ અને પંચાયતો તથા અન્ય માર્ગોમાં પોતાનો અવાજ પહોંચાડવા માટે વોટને હથિયારના રૂપમાં ઉપયોગ કરે છે.
સિંહે ગૃહના મહત્વ પર પ્રકાશ નાંખતા કહ્યું કે સિનિયર્સનું ગૃહ કહેવાતું રાજ્યસભામાં દેશના મોટા મહાન નેતાઓ અને ઉત્તમ યોગદાન આપ્યું છે.ગૃહમાં મહત્વપૂર્ણ વિધેયકો પર ગંભીરતા અને સંમતોલનની સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે સમય પર રાજ્યસભાએ પોતાના વિચારો અને ચર્ચાથી સંસદના બંને ગૃહોને યોગ્ય ઠેરવ્યું છે. આ ગૃહ સમય-સમય પર એવી કસોટીએ પર ખરું ઊતર્યું છે કે વિશ્વાસને પૂર્ણ કર્યો છે. જે સંવિધાનના નિર્માતાઓએ આમાં દેખાડવામાં આવ્યો હતો. ગૃહે તમામ કર્તવ્યોની જવાબદારીની સાથે નિર્વહન કર્યું છે. સિંહે ઉમેર્યું કે આ માટે તમામ લોકતાંત્રિક સંસ્થાઓનું સમ્માન કરવું જોઈએ.