Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:20:38 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

એર ઇન્ડિયાના પાઇલટોનું આંદોલન 7 દિવસે પણ યથાવત, 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ

May 14, 2012 National
 
Tags:   Air India Civil Aviation Minister Ajit Singh International flights Boeing 787 Dreamliner Training comment     E-Mail     Print    
 
Viewed: 1202
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઇ, 14 મે

એર ઇન્ડિયાના પાઇલટોની હડતાળ સતત સાતમાં દિવેસ પણ યથાવત છે. હડતાળને કારણે રાષ્ટ્રીય એરલાઇન્સને ઓછામાં ઓછી 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે જેના કારણે સેંકડો યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે.

એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે પાઇલટોએ પોતાની હડતાળ સમાપ્ત કરવા માટે કામ પર પરત ફરવા માટે તૈયાર નથી. આના કારણે અમે દિલ્હી અને મુંબઇથી રવાના થનારી 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

પાઇલટો મંગળવારથી હડતાળ પર છે અને હજુ સુધી કામ પર નથી આવવા ઇચ્છતા જ્યાં સુધી તેમની માંગણીનો સ્વીકાર કરવામાં આવે. તેઓએ સિવિલ એવિએશન મિનિસ્ટર અજિત સિંહની હડતાળ સમાપ્ત કરીને વાતચીત માટે તૈયાર રહેવાનું આહ્વાનની પણ ફગાવી દીધું છે. એર ઇન્ડિયાએ રવિવારે ઓછામાં ઓછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

ફ્લાઇટ્સ રદ થવાના કારણે સેંકડો યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે ફ્લાઇટ્સ રદ થયા બાદ પણ એરલાઇન્સ દ્વારા તેઓની બુક કરાવેલી ટિકીટોની રાશિ પણ પરત કરવામાં નથી આવી.

આ સંકટ તે સમયે વધુ ઘેરૂં બન્યું જ્યારે એરલાઇનના કર્મચારી પાઇલટો પણ હડતાળ કરી રહેલા પાઇલટોના સમર્થનમાં આવી ગયા અને મેનેજમેન્ટ પાસે પાઇલટોને બરતરફ કરવાનો આદેશ રદ કરવા તથા ગતિરોધ દુર કરવા માટે તત્કાળ વાતચીત કરવાની માંગણી કરી હતી.

આંદોલનમાં સામેલ પાઇલટોના જણાવ્યા અનુસાર તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ તેઓના કામ પર પરત ફરવાની સંભાવના નહીંવત છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com