મુંબઇ, 14 મે
એર ઇન્ડિયાના પાઇલટોની હડતાળ સતત સાતમાં દિવેસ પણ યથાવત છે. હડતાળને કારણે રાષ્ટ્રીય એરલાઇન્સને ઓછામાં ઓછી 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે જેના કારણે સેંકડો યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે.
એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે પાઇલટોએ પોતાની હડતાળ સમાપ્ત કરવા માટે કામ પર પરત ફરવા માટે તૈયાર નથી. આના કારણે અમે દિલ્હી અને મુંબઇથી રવાના થનારી 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
પાઇલટો મંગળવારથી હડતાળ પર છે અને હજુ સુધી કામ પર નથી આવવા ઇચ્છતા જ્યાં સુધી તેમની માંગણીનો સ્વીકાર કરવામાં આવે. તેઓએ સિવિલ એવિએશન મિનિસ્ટર અજિત સિંહની હડતાળ સમાપ્ત કરીને વાતચીત માટે તૈયાર રહેવાનું આહ્વાનની પણ ફગાવી દીધું છે. એર ઇન્ડિયાએ રવિવારે ઓછામાં ઓછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
ફ્લાઇટ્સ રદ થવાના કારણે સેંકડો યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે ફ્લાઇટ્સ રદ થયા બાદ પણ એરલાઇન્સ દ્વારા તેઓની બુક કરાવેલી ટિકીટોની રાશિ પણ પરત કરવામાં નથી આવી.
આ સંકટ તે સમયે વધુ ઘેરૂં બન્યું જ્યારે એરલાઇનના કર્મચારી પાઇલટો પણ હડતાળ કરી રહેલા પાઇલટોના સમર્થનમાં આવી ગયા અને મેનેજમેન્ટ પાસે પાઇલટોને બરતરફ કરવાનો આદેશ રદ કરવા તથા ગતિરોધ દુર કરવા માટે તત્કાળ વાતચીત કરવાની માંગણી કરી હતી.
આંદોલનમાં સામેલ પાઇલટોના જણાવ્યા અનુસાર તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ તેઓના કામ પર પરત ફરવાની સંભાવના નહીંવત છે.