નવી દિલ્હી, 16 મે
સંસદના 60 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષ્યમાં સાંસદોના એક ફોટો શૂટમાં લોકસભામાં સદનના નેતા પ્રણવ મુખરજી નહોતા પહોંચી શક્યા. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ખબર પડી કે પ્રણવને આ અંગે જાણકારી આપવામાં આવી નથી. આમાં ભૂલ કોઇની પણ હોય પરંતુ એક જરાક જેટલી ચૂકે આ તસ્વીરમાં પ્રણવ મુખરજી જેવા મોટા ચહેરાને દૂર કરી દીધો હતો.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે ખુદ અનુભવ કર્યો કે પ્રણવ તે સમયે હાજર ન હતા. તેઓએ ત્યાં હોવું જોઇએ, તેઓને સુચિત કરવા જોઇએ. જો કે આ સમયે રાજ્યસભા સાંસદોએ કહ્યું કે ફોટો સેશન સમયે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો.
AIADMK ના નેતા મૈત્રિએને કહ્યું કે લોકસભાના સભ્યોને રાજ્યસભા સાંસદોની તુલનામાં વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. સાંસદોના ગ્રુપ પિક્ચર માટે બેઠક દરમિયાન થઇ રહેલી સિટિંગ અરેન્જમેન્ટમાં આવું કરવામાં આવ્યું હતું. રાજ્યસભા ચેરમેનને આ વાતને ધ્યાનમાં લઇને લોકસભા સુધી આ વાત પહોંચાડવાની કવાયત હાથ ધરી છે.