ખંભાળિયા,તા,ર૦
ખંભાળિયા શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ડહોળા પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.શહેરમાં રોગચાળો ફેલાઈ તે પહેલાં પગલાં લેવા માગણી ઉઠવા પામી છે.
શહેરમાં મુખ્યત્વે ઘી ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો ડેડ વોટર સુધી પહોંચવા આવ્યો છે. જેના કારણે લોકોને નળ દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળું હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત ખંભાળિયા રેલવે સ્ટેશનમાં પાણીના પરબ દ્વારા આપવામાં આવતું પાણી ડહોળુ અને આરોગ્યને હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. રોગચાળો ફાટી નિકળે તે પહેલાં શુધ્ધ પાણીનું વિતરણ કરવા લોકોની માગણી છે.