નવી દિલ્હી, 22 મે
પહેલાં સમાચારપત્રોમાં કે પુસ્તકમાં છપાતાં કાર્ટૂનને લોકતંત્રનો સ્વચ્છ અને મજબૂત પાયો માનવામાં આવતો હતો, જ્યારે છેલ્લાં ઘણાં સમયથી નેતાઓનાં કાર્ટૂનને લઈને દેશમાં વિવાદો ઉભાં થવા લાગ્યાં છે. 11મા ક્લાસનાં એનસીઈઆરટીના રાજકીય મુદ્દેનાં વિજ્ઞાન પુસ્તકમાં 'ઈન્ડિયન કોન્સિટ્યૂશન્સ એટ વર્ક' નામે છપાયેલાં કાર્ટૂન મુદ્દે પણ વિવાદ ઉભો થયો હતો.
પહેલાં પુસ્તકમાંથી આ કાર્ટૂનને હટાવવાનો વિવાદ ઉભો થયો હતો, બાદમાં આ પુસ્તકને જ હટાવવાની માંગણી ઉભી થઈ હતી. જો કે સવાલ એ છે કે કાર્ટૂન પરનાં વિવાદોને કારણે રાજકીય રીતે મીડિયા પર તરાપ મારવામાં આવી રહી છે. વિવાદાસ્પદ અને ચર્ચામાં રહી ચૂકેલાં કાર્ટૂન પર આવો એક નજર નાંખીએ.
કાર્ટૂનિસ્ટ શંકર - વડાપ્રધાન વગર મંત્રીમંડળનું કોઈ મહત્વ નથી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારને પડેલાં થપ્પડ પર લોકોએ કંઈક આ રીતે કમેન્ટ્સ કરી હતી
આ કાર્ટૂનમાં આંબેડક્ર ભારતનાં બંધારણનાં ઢગલાં પર આરામથી બેઠાં છે, અને જવાહરલાલ તેમને ઝડપ કરવા ચાબૂક મારી રહ્યાં છે. (ઉલ્લેખનીય છે કે આંબેડકરે આપણું બંધારણ બનાવવા માટે ઘણો સમય લીધો હતો.)

કાર્ટૂનિસ્ટ શંકર - વડાપ્રધાન જવાહરલાલ વિભિન્ન મત ધરાવતાં લોકો વચ્ચે તાલમેલ કરવાની કોશિશ કરી રહ્યાં છે
મમતા બેનર્જીનાં આ કાર્ટૂન બદલ જાધવપુર યુનિવર્સિટીનાં પ્રોફેસર અંબિકેશ મહાપાત્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ તસવીર સોશિયલ સાઈટ પર મૂકવામાં આવી હતી, જ્યારે કપિલ સિબ્બલે સોશિયલ સાઈટ પર નિયંત્રણ લગાવવાનું નિવેદન આપ્યું હતું.
શરદ પવારનાં થપ્પડ પર લોકોએ પોતાના પ્રમાણે ઈન્ટરનેટ પર કમેન્ટ્સ કરી હતી
જો કે તમામ રાજકારણી ભારત દેશને લૂંટવા જ બેઠાં છે. આ તસવીરને લોકોએ ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરી હતી
ભારતનાં લોકો પણ વિચારી રહ્યાં છે કે હકીકતમાં આ દેશ કોણ ચલાવી રહ્યું છે.
રિટેલ અને એફડીઆઈ મુદ્દે લોકોએ કંઈક આ રીતે ફેસબુક પર કમેન્ટ્સ કરી હતી