અમદાવાદ :
હવે મુખ્ય ગુજરાતી, અંગ્રેજી, અને હિન્દી, સિવાય અન્ય માધ્યમોમાં પણ શિક્ષક થવા શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ) પાસ કરવી ફરજીયાત છે. મુખ્ય ત્રણ માધ્યમો સિવાય જે માધ્યમની પ્રાથમિક શાળાઓ આવેલી છે, તેમાં શિક્ષક થવા માટે ઉમેદવારે ઉપર મુજબના ત્રણેય માધ્યમ પૈકી કોઇએક માધ્યમની ટેટ પાસ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણેય માધ્યમ સિવાય જે માધ્યમની શાળામાં શિક્ષક થલા ઇચ્છતા હોય તે માધ્યમની કોઇપણ શાળામાં ધો. ૧૦ સુધી ભણેલા હોવા જોઇએ.