ખંભાળિયા,તા.ર૯
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા એડમીશન માટે લેવાતા ડોનેશન ફીમાં વધારા ઉપરાંત રજાઓ અને વેકેશનમાં વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવવા સામે કડક કાર્યવાહી તમામ પ્રકારની શાળાઓ સામે કરવાના આદેશને પગલે જામનગર જિલ્લાની તમામ શાળાઓને શિક્ષણાધિકારી રાઠોડે ખાસ પરિપત્ર પાઠવી કડક અમલ કરવાની તાકીદ કરી છે.
- કડક અમલ કરવા શિક્ષણાધિકારીની તાકીદ
શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે શાળામાં લેવાતી ફી અંગેની તમામ વિગતો નોટિસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાની રહેશે. સરકાર દ્વારા ફીના નકકી કરાયેલા નિયમો મુજબ લેવા ઉપરાંત આ ફીની પહોંચ પણ આપવાની રહેશે. આ સાથે રજા કે વેકેશનના દિવસોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી વિદ્યાર્થીઓને શાળાએ આવવા દબાણ ન કરવા પણ વધુમાં જણાવાયું છે.