નવી દિલ્હી, તા. 09
ઘણાં લોકો પોતાની આસ્થાને લીધે સતત ઉપવાસ કરતા હોય છે જેનાથી તેઓ બીમાર પડવાની શક્યતામાં અનેક ઘણો વધારે થઈ જાય છે. આમાંથી મોટાભાગનાં લોકો જરૂર કરતાં વધુ ખાવા અને સમય પર ન ખાવાને લીધે બીમાર પડતા હોય છે.
શારજાહમાં બે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયેલા અચાનક વધારા પર કરાયેલ અભ્યાસથી આ તથ્યનો ખુલાસો થયો છે કે સતત ઉપવાસ કરવાથી દર્દીઓની સંખ્યામાં આશરે 70 ટકાની વૃદ્ધિ થાય છે. તબીબીઓ દર્દીઓમાં આવેલા વધારાની પાછળ ખાન-પાનની શૈલીને જવાબદાર ઠેરવી હતી.
તબીબોનું કહેવું છે કે ભોજન વિશેનું અજ્ઞાનને લીધે જ આ તમામ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઉપવાસ વખતે લોકો એક સમયે ખાવાનું નથી ખાતા પરંતુ તે દરમિયાન તેઓ ત્રણ સમયનું ખાવાનું ખાવા માગે છે. ઉપવાસ કરનારે જરૂર કરતા વધુ ખાવાનું અને ખાવાના સમયે થયેલો ફેરફાર બીમારીઓને અવગણવાની આદત, જરૂર કરતાં વધુ ઠંડો જ્યૂસ અથવા દૂધ અથવા પેય પદાર્થ લેવાનો અને મોડી રાત સુધી જાગવાને કારણે બીમાર પડતા હોય છે.
ડાયાબિટીસ અથવા લોહીનું ઊંચું દબાણથી પીડિત વ્યકિત પણ ઉપવાસ કરતા હોય છે અને નિયમાનુસાર ખાવાની રીત નથી અપનાવતી. જેનાથી તેનું શરીર બીમાર પડવાની શક્યતા વધી જાય છે. ઘણાં લોકો તો ઉપવાસ વધારી દેતા હોય છે. તો ઘણાં લોકો તો ઉપવાસ પછી પણ રાત ભર ખાતા રહેતા હોય છે જેનાથી તેમને ગંભીર નબળાઈ અને થાક અનુભવાય છે. ઉપવાસ દરમિયાન ઘણાંને પીડા, થાક, માથું દુખવું, ઉલ્ટી, મરડો વગેરેમાં સપડાઈ જાય છે.
આ ન્યૂઝ પર પણ ફેરવો નજર...