|
|
લાલ કિતાબમાં જણાવેલા રાશિ અનુસાર ઉપાયો
|
|
Sep 05, 2012
|
Supplements >
Nakshatra
|
|
|
|
|
|
|
કવર સ્ટોરી - જ્યોતિષાચાર્ય મનહરપ્રસાદ ભાવસાર
મેષ રાશિ
- કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં.
- હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે.
- લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો.
- સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં.
- જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
- સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી.
- સદાચારનું સદૈવ પાલન કરવું.
- ગળી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
- પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ ઉછેરવું.
- રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે એક પ્યાલામાં પાણી ભરીને મૂકવું. સવારે આ જળને કોઈ ફૂલછોડના ક્યારામાં નાખી દેવું.
- પુત્ર-રત્નના જન્મ દિવસે નમકીન વસ્તુ વહેંચવી.
- વૈદિક નિયમોનું હંમેશાં પાલન કરવું.
- બહેન-દીકરી અને ફોઈને ઉપહારમાં મીઠાઈ આપવી.
- ગળી રોટલી ગાયને ખવડાવવી.
- વિધવાઓને મદદ કરવી અને તેમના આશીર્વાદ મેળવવા.
વૃષભ રાશિ
- પરસ્ત્રીની સોબત કરવી નહીં.
- મગની દાળનું દાન કરવું.
- શનિવારે સરસિયું, અળસી અથવા તલના તેલનું દાન કરવું.
- અર્ધાંગિનીને દરરોજ કંઈક ને કંઈક વસ્તુ આપવી.
- શુક્રવારના દિવસે ઉપવાસ કરવો.
- દૂધ, દહીં, ઘી અને કપૂર ધર્મસ્થાનો પર ચઢાવવાં.
- વસ્ત્રોમાં અત્તર વગેરેનો ઉપયોગ કરવો.
- ગૌ-દાન કરવું.
- ચોખ્ખાં અને બહુ જૂનાં ન હોય તેવાં કપડાં ધારણ કરવાં.
- નવાં પગરખાં જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાઓમાં ખરીદવાં નહીં.
- ચાંદી અથવા પ્લેટિનમના વેઢલા ધારણ કરવા.
- ચોખા અથવા ચાંદીમાંથી એક વસ્તુ હંમેશાં પાસે રાખવી.
- ચાંદીનો ટુકડો લીમડાના વૃક્ષ નીચેની જમીનમાં દાટવો.
જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં.
- કોઈની સાથે દગાબીજી કરવી નહીં.
- ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો.
મિથુન રાશિ
- તામસિક ભોજનનો ત્યાગ કરવો.
- માછલીઓને બંધનમુક્ત કરવી.
- ફટકડી દ્વારા દાંત સાફ કરવા.
- પાલતુ પશુ-પક્ષી પાળવા નહીં.
- ચોખા અને દૂધ ધર્મસ્થાનોમાં ચઢાવવાં.
- માતા તથા બાર વર્ષથી નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
- મગ પલાળીને કબૂતરોને ખવરાવવા.
- પોપટ, ઘેટું, બકરી વગેરે પાળવા નહીં.
- સૂર્યની વસ્તુઓનું દાન કરવું.
- ગુરુ સાથે સંબંધિત ઉપાય દરેક કાર્યમાં સફળતા અપાવશે.
- ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો નહીં.
- વાદળી કે તેના જેવા લાગતા રંગોનો ઉપયોગ કદી કરવો નહીં.
- જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
- માટીના વાસણમાં દૂધ ભરી તે નિર્જન સ્થાનમાં દાટવું.
- લીલા રંગની શીશીમાં ગંગાજળ ભરી તે સૂમસાન જગ્યાએ દાટવું.
કર્ક રાશિ
- નદી પાર કરતી વખતે તેમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
- માતા પાસેથી ચાંદી અને ચોખા મેળવીને તેને પોતાની પાસે રાખવા.
- પલંગમાં તાંબાની ખીલી જડવી.
- ચાંદીના વાસણમાં દૂધ અને પાણી પીવાં.
- ઘરના પાયામાં ચાંદીનો ટુકડો દાટવો.
- ચોખા, ચાંદી, દૂધ વગેરે દીકરી અથવા સંતાનને આપવાં.
- ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરવું.
- દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને કન્યાદાનમાં ઉપયોગી સામાન આપવો.
- સફેદ વસ્તુઓમાંથી બનેલી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
- માતાની સલાહનું પાલન કરવું.
- ધાર્મિક પ્રસંગોને હંમેશાં કાર્યનું રૂપ આપવું.
- ઘરમાં સસલું પાળવું નહીં.
- સદાચારનું હંમેશાં પાલન કરવું.
- પિતૃઓના નિમિત્તનું ભોજન પંખીઓને ખવરાવવું
- જો આપ ડોક્ટર હો તો રોગીઓને મફત દવા આપવી.
સિંહ રાશિ
- ઘરના છેલ્લા ભાગના જમણા તરફનો રૂમ અંધારિયો રાખવો.
- ઘરમાં હેન્ડપમ્પનો ઉપયોગ કરવો.
- ચોખા, ચાંદી અને દૂધનું દાન કરવું.
- મફતની કોઈ વસ્તુ કોઈની પાસેથી સ્વીકારવી નહીં.
- અખરોટ અને નાળિયેરનું તેલ ધર્મસ્થાનોમાં આપવું.
- માતા અને દાદી પાસેથી આશીર્વાદ મેળવવા.
- સુરદાસ (અંધ વ્યક્તિ)ને ભોજન કરાવવું.
- નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
- તાંબાનો સિક્કો ખાખી દોરામાં પરોવીને ધારણ કરવો.
- પોતાના વચનનું પાલન કરવું.
- વૈદિક અને સદાચારના નિયમોનું પાલન કરવું.
- સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી.
- લાલ માંકડાને ગોળ-ઘઉંનું ભોજન કરાવવું.
- ચાંદી અથવા તેમાંથી બનેલી વસ્તુ હંમેશાં પાસે રાખવી.
કન્યા રાશિ
- દીકરીને પ્રેમ અને સ્નેહ આપવાં.
- પન્ના રત્ન ધારણ કરવું.
- પુત્રીને ચાંદીની નથણી પહેરાવવી.
- છત પર વરસાદનું જળ કોઈ પાત્રમાં રાખવું.
- નવાં વસ્ત્ર ધારણ કરતાં પહેલાં તેને નદીના જળથી ધોવાં.
- લીલા રંગનો રૂમાલ પાસે રાખવો.
- ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો નહીં.
- ઘરમાં તુલસીનો છોડ રાખવો, પરંતુ મની પ્લાન્ટનો છોડ ઉછેરવો નહીં.
- નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
- શનિ ગ્રહ સંબંધી ઉપાય કરવો.
- પહોળાં પાનવાળાં વૃક્ષ ઘરમાં ઉછેરવાં નહીં.
- ઢાંકણ સાથેનો ઘડો નદીમાં પ્રવાહિત કરવો.
- ભૂરા રંગનો કૂતરો પાળવો નહીં.
- દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
- આપેલા વચનને યાદ રાખવું અને તેનું પાલન કરવું.
- કોઈને પણ અપશબ્દ કહેવો નહીં.
- કોઈની ઉપર ક્રોધ કરવો નહીં.
- બુધવારના દિવસે ઉપવાસ કરવો.
- લીલી વસ્તુઓ નદીના જળમાં પ્રવાહિત કરવી.
તુલા રાશિ
- પોતાના હિસ્સામાંથી થોડું ભોજન પશુ-પક્ષીઓ અને ગાયને ખવડાવવું.
- સાસુ-સસરા પાસેથી ચાંદી અથવા તેની કોઈ વસ્તુ મેળવીને પોતાની પાસે રાખવી.
- પત્નીએ હંમેશાં કપાળે ચાંલ્લો કરી રાખવો.
- ચાર પગવાળાં જાનવરોને પાળવાં.
- ઈશ્વર પર શ્રદ્ધા રાખવી.
- માખણ, બટાકા, દહીં વગેરેનું દાન કરવું.
- ઘરમાં સંગીત, વાદ્ય અને નૃત્યનો પરિત્યાગ કરવો.
- વૈદિક નિયમોનું પાલન કરવું.
- દરરોજ ગાયને ઘાસ નાખવું.
- સ્ત્રીનું હંમેશાં સન્માન કરવું.
- સફેદ ગાયને બાદ કરતાં અન્યને ઘાસ આપવું.
- પરમાત્માના નામે કોઈ દાનનો સ્વીકાર કરવો નહીં.
- ધર્મસ્થાનોએ જઈને પ્રાર્થના કરવી.
- ઘરના પાયામાં ચાંદી અને મધ દાટવાં.
વૃશ્ચિક રાશિ
- પીપળાનું અને વડનું વૃક્ષ કાપવું નહીં.
- વેપારી હો તો કોઈની પાસેથી ઉધાર માલ લેવો નહીં.
- ભાભીની સેવા કરવી.
- મોટા ભાઈની અવગણના કરવી નહીં.
- લાલ રૂમાલનો ઉપયોગ કરવો.
- દૂધ ઉકાળીને પાત્રની બહાર ઢળે નહીં તેનું ધ્યાન રાખવું.
- અલગ અલગ માટીનાં વાસણોમાં મધ અને સિંદૂર મૂકી ઘરમાં રાખવાં.
- પ્રાતઃકાળે મધનું સેવન કરવું.
- મંગળવારના દિવસે ઉપવાસ કરવો.
- હનુમાનજીને સિંદૂર અને ચોખા ચઢાવવાં.
- મધ, સિંદૂર અને મસૂરની દાળ નદીમાં પ્રવાહિત કરવી.
- વડીલોની સેવા કરવી.
- શુદ્ધ ચાંદીના વાસણમાં ભોજન કરવું.
- લાલ ગુલાબ દરિયામાં પ્રવાહિત કરવાં.
- ધર્મસ્થાને જઈ બૂંદી અને લાડુનો પ્રસાદ ધરાવીને વહેંચવો.
ધન રાશિ
- ધર્મસ્થાનોમાં ઘી, દહીં, બટાકા અને કપૂરનું દાન કરવું.
- ભિખારીને નિરાશ પરત ફરવા દેવો નહીં.
- ગંગાજળનું સેવન અને તેનાથી સ્નાન કરવું.
- તીર્થયાત્રા કરવી તીર્થયાત્રામાં અન્યને મદદરૂપ બનવું.
- હંમેશાં સાચું બોલવું.
- પીળો રૂમાલ હંમેશાં સાથે રાખવો.
- પિતાના પલંગ અને કપડાંનો ઉપયોગ કરવો.
- પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું.
- કોઈને ઠગવું નહીં.
- ગુરુ, સાધુ તેમજ પીપળાનું પૂજન કરવું.
- બૃહસ્પતિવાર (ગુરુવાર)ના દિવસે ઉપવાસ અને વ્રત કરવું.
- હરિવંશ પુરાણનો પાઠ કરવો.
- ચાંદીના વાસણમાં હળદર લગાવીને તેને પોતાની પાસે રાખવું.
- ગરુડ પુરાણનો પાઠ કરવો.
- બ્રાહ્મણ, સાધુ અને કુલગુરુની સેવા કરવી.
મકર રાશિ
- વાંદરાની સેવા કરવી.
- દૂધમાં ખાંડ ભેળવી વડના વૃક્ષના મૂળમાં સીંચવું.
- ક્યારેય અસત્ય બોલવું નહીં.
- ભૂરી ભેંસ પાળવી.
- ઘરનો કોઈ ભાગ અંધારિયો રાખવો નહીં.
- પૂર્વ દિશાવાળા મકાનમાં રહેવું.
- કેતુ સંબંધી ઉપાય કરવા.
- ભેંસ, કાગડાઓ અને મજૂરોને ભોજન આપવું.
- નદીમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
- કાળા નીલા રંગનાં કપડાં પહેરવાં નહીં.
- હંમેશાં પોતાની પાસે સોનું અથવા કેસર રાખવું.
- અખરોટ ધર્મસ્થાનમાં ચઢાવવાં અને થોડીક ઘરે લાવીને રાખવી.
- ૪૮ વર્ષ પહેલાં ઘર બનાવડાવવું નહીં.
- ચામડાં અને લોખંડમાંથી બનેલી વસ્તુઓ ખરીદવી નહીં.
- માટીના વાસણમાં મધ ભરીને તે નિર્જન સ્થાને દાટી દેવું.
કુંભ રાશિ
- પોતાની પાસે ચાંદીનો ટુકડો રાખવો.
- મુખ્ય દ્વાર પર થોડું ઘણું અંધારું રાખવું.
- છત પર ઈંધણાં મૂકવાં નહીં.
- દક્ષિણ દિશાવાળા મકાનનો ત્યાગ કરવો.
- મકાનના પાયા અથવા ઉંબરામાં ચાંદીનો તાર દાટવો.
- ઘરના છેલ્લા ભાગની દીવાલ પર બારણું રાખવું નહીં.
- શનિવારના દિવસે ઉપવાસ અને વ્રત રાખવું.
- તેલનું દાન મંદિરમાં કરવું.
- સરસિયાનું તેલ રોટલીમાં ચોપડીને તે રોટલી ગાયને ખવરાવવી.
- ખિસ્સામાં નાની-નાની ચાંદીની ગોળીઓ રાખવી.
- દૂધથી સ્નાન કરવું.
- ઘઉં, ગોળ તથા કાંસાનું મંદિરમાં દાન કરવું.
- ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો.
- કેસર અથવા હળદરનું તિલક કરવું.
- સોનાની વીંટી આંગળીમાં ધારણ કરવી.
મીન રાશિ
- કોઈની પાસેથી દાન અથવા મદદનો સ્વીકાર કરવો નહીં.
- પોતાના ભાગ્ય પર ભરોસો રાખવો.
- રસ્તાની સામે કદી ખાડો રાખવો નહીં.
- કેસર અને હળદરનું તિલક કરવું.
- વયસ્કોની સેવા કરવી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો.
- કોઈની સામે સ્નાન કરવું નહીં.
- ધર્મસ્થાને જઈ પૂજા-અર્ચન કરવાં.
- કુળ પુરોહિતના આશીર્વાદ મેળવવા.
- પીપળાના વૃક્ષનું પૂજન કરવું.
- માથા પર શિખા (ચોટલી) રાખવી.
- સંતોની સેવા કરવી. સાથે ધર્મસ્થાનની સફાઈ પણ કરવી.
- બૃહસ્પતિ (ગુરુ)ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું.
- સ્ત્રીની સલાહથી વ્યાપાર કરવો.
- મંદિરમાં વસ્ત્રદાન કરવું.
- સોનાની કોઈ વસ્તુને પીળા વસ્ત્રમાં લપેટી તે પોતાની પાસે રાખવી.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|