નવી દિલ્હી, તા. 11
દેશમાં એકતરફ જ્યાં બેરોજગારીથી કંટાળ્યા છે, તો બીજી તરફ નોકરીયાત લોકો ખૂબ ખુશ નથી. એક સર્વેમાં જાણવા મળે છે કે નોકરીયાત મોટાભાગે ભારતીયોની ઉપર કામનું દબાણ વધુ હોય છે. જેના લીધે તેઓ તણાવમાં રહે છે. અભ્યાસ પ્રમાણે કામના દબાણથી તથા વ્યકિતગત નાણાકીય દબાણને લીધે દેશભરમાં કર્મચારીઓમાં તણાવ વધી રહ્યો છે.
તણાવ ઓછો કરવા માટે સજેશન આપતા સર્વેમાં કહેવાયું છે કે કામના કલાકોને યોગ્ય રીતે કરવાથી તણાવ ઘટાડવામાં મદદ મળી શકે છે.
ફર્મ રેગુસે આ અભ્યાસ દુનિયાભરના 16,000 કરતા વધુ વ્યાવસાયિકો પર કર્યો હતો. આમાં ભાગ લેનાર અડધાથી વધુ (51 ટકા) ભારતીય ઉમેદવારોનું કહેવું હતું કે ગત વર્ષે તેમનાં તણાવનાં સ્તરમાં વધારો થયો છે.
આની અનુસાર તણાવ વધારતા મુખ્ય કારણોમાં કામનું દબાણ અથવા વ્યકિતગત નાણાભીડ છે. ઘણા અન્ય કારણો પણ દબાણને વધારી રહ્યા છે. જો કે 51 ટકા ભારતીય ઉમેદવારોને તણાવ વધારતું સૌથી મુખ્ય કારણ કામકાજનું બતાવવામાં આવ્યું હતું.
આ અભ્યાસમાં એકવાત રસપ્રદ રીતે સામે આવી હતી કે અભ્યાસમાં સામેલ ત્રણ ચતુર્થાંશ લોકો (72ટકા) ભારતીય લોકોને સજેશન આપ્યું છે કે કામકાજના અનુકૂળ કલાકો અપનાવીને તણાવ ઘટાડવમાં મદદ કરાઈ શકે છે.
આ અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે તણાનગ્રસ્ત કર્મચારી, નાખુશ તથા અસ્વસ્ત પણ હોય છે. રેગસના દક્ષિણ એશિયા ઉપાદ્યક્ષ મધુસૂદન ઠાકરનું કહેવું છે કે,‘‘તણાવને લીધે કર્મચારીને નુકશાન થાય છે સાથે સાથે કારોબાર પર આની સીધી અસર વર્તાય છે, કારણ કે કર્મચારી જરૂર મુજબ કામ નથી કરી શકતા, વધુ બીમારીની રજાઓ લેતા હોય છે અને ઓછા સક્ષમ હોય છે. ’’
આ ન્યૂઝ પર પણ ફેરવો નજર...
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
તણાવ દૂર કરવો હોય તો આ સીક્રેટ જાણી લો
ઈ-મેઈલ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે શા માટે વાંચો
સિગારેટનાં વ્યસનથી કંટાળી ગયા હોવ તો, આ રહી તમારા માટે ખુશ ખબર!
તમારા બાળકની આ બાબતનું રાખો ખાસ ધ્યાન
મુજે દુનિયાવાલો શરાબી ન સમજો!
સ્લીમ બોડી જોઈતી હોય તો અપનાવો આ ફંડા
જૉબ શોધી રહ્યા હોવ તો આની પર થોડું ધ્યાન આપશો, નોકરી તમારા હાથમાં આવી જ સમજો!
અપનાવો મૉન્સૂનમાં ફેશનનો આ ટ્રેંડ, દેખતા રહી જશે ફ્રેંડસ