મુંબઈ, 11 ઓગસ્ટ
નાના પરદાની એટલે કે ટીવી ક્વિન અને નિર્માતા એકતા કપૂર જણાવે છે કે, તે એવી જ સિરીયલો બનાવે છે, જે આજનાં ઓડિયન્સની ડિમાન્ડ છે. જો કે એકતા કપૂરની ઘમી સિ્રીયલો એવી છે, જેની લોકો ટિપ્પણી કરતાં રહ્યાં છે, તો બીજી તરફ ટીવી પરની લગભગ બધી ડ્રામા ચેનલ પર તેની કોઈને કોઈ સિરીયલનું પ્રસારણ થાય છે અને તે પણ હાઈએસ્ટ ટીઆરપી સાથે.
એકતા કહે છે કે, 'તે પોતાની સિરીયલમાં ચેન્જ કરી શકે છે, પરંતુ તેની સિરીયલમાં ફેરફાર થશે તો દર્શકોને ગમશે નહીં. જો ઓડિયન્સની ડિમાન્ડ બદલાશે તો હું નવો શૉ બનાવીશ, કારણ કે તમે મારી સિરીયલોની છેલ્લાં 10 વર્ષની ટીઆરપી જોઈ શકો છો, જેથી મને હાલમાં ફેરફાર કરવા જેવું લાગતું નથી.' એકતાનાં મતે દર્શકો જ પોતે લવ સ્ટોરી અને સાસુ વહુની કહાની જોવા માંગે છે, તો મારે દર્શકોને ગમે તે જ આપવું જોઈએ.