રાજકોટ, તા.૧૯
રાજકોટમાં વિવેકાનંદ વિકાસ પરિષદમાં વડાપ્રધાન મનમોહનસિંહ સામે બફાટ કરનાર પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ નવજોતસિંહ સિધ્ધુનું પૂતળું આજે રાજકોટ ખાતે બાળવામાં આવ્યું હતું. કરણપરાખાતે કોંગ્રેસના ફરિયાદ સેલ દ્વારા નવજોતસિંહ સિધ્ધુ સામે સુત્રોચ્ચાર સાથે પૂતળાદહન કરવામાં આવ્યું હતું.
- વડાપ્રધાન સામે બફાટ કરનાર
- કોંગ્રેસ ફરિયાદ સેલનો કાર્યક્રમ, પાંચની અટકાયત
આ કાર્યક્રમમાં પોલીસે ફરિયાદ સેલના પાંચ આગેવાનોની અટકાયત કરી હતી. રાજકોટ ખાતે નવજોતસિંહ સિધ્ધુએ મનમોહનસિંહ અસરદાર સરદાર નથી. તેમ, જણાવ્યું હતું. તેમજ મનમોહનસિંહને ગાંધીજીના મુંગા વાંદરા સાથે સરખાવીને અપમાનીત કર્યા હોઈ કોંગ્રેસે ભાજપના સાંસદ નવજોતસિંહ સિધ્ધુ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે દેશના વડાપ્રધાનનું અપમાન કરનાર સાંસદ સિધ્ધુને જોકર સાથે સરખાવ્યો હતો. કરણપરામાં કોંગ્રેસના ફરિયાદ સેલ દ્વારા સિધ્ધુના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવજોતસિંહ સિધ્ધુની વેલ્યું કોમેડી કાર્યક્રમના જોકરથી વિશેષ નથી. ભાજપના પ્રચાર માટે તે જોકરવેડા કરતો રહે છે જેની અસર લોકમાનસમાં કોઈ વેલ્યુ નથી.