વૉશિંગ્ટન, તા. ૨૦
જે લોકો ઘણા લાંબા સમયથી ભોજનમાં દહીંનું સેવન કરતાં હોય તેમને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટે છે તેવું એક અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે. દરરોજ દહીં ખાવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશરનું પ્રમાણ નીચું રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે, જો કે સંશોધકોએ એવી સલાહ આપી છે કે દહીં ખાવાની સાથોસાથ જો ઓછી કેલરી ધરાવતો આહાર ખાવામાં આવે તો આ ઉપાય વધારે અસરકારક પુરવાર થાય છે.
- કેલેરી વધે તેવો આહાર નહીં લેવા સલાહ
દહીમાંથી જો દરરોજ ૨ ટકા કેલેરી મેળવવામાં આવે તો પણ હાઈ બ્લડપ્રેશરને તે નિયંત્રણમાં રાખે છે. આવા દર્દીઓમાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ૩૧ ટકા ઘટે છે. અમેરિકાનાં હાઈ બ્લડપ્રેશર એસોસિયેશન સમક્ષ રજૂ કરવામાં આવેલા અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે સિસ્ટોલિક બ્લડપ્રેશર એ વ્યક્તિ માટે વધુ જોખમી બની શકે છે, જે શરીરમાં ફરતાં લોહીનાં ઊંચાં પ્રમાણને દર્શાવે છે. હ્ય્દયના ધબકારા વખતે લોહી કેટલા જોરથી રક્તવાહિનીઓ સાથે અથડાય છે તેનું માપ તે દર્શાવે છે.
સંબંધિત સમાચાર પર ફેરવો એક નજર...
|
પંચામૃતમાંનું એક અમૃત દહીં |
| બલ્ગેરિયાના લોકો બીજા દેશના લોકો કરતાં ખૂબ જ સ્વસ્થ, સુદૃઢ, સૌમ્ય અને દીર્ઘાયુષી છે. આનું મૂળ કારણ તેઓના દૈનિક આહારમાં દહીંનો છૂટથી ઉપયોગ ગણાવાય છે. |
દહીં ખાવાથી હ્ય્દયરોગ સામે રક્ષણ મળે છે