Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 02:53:24 AM IST
 

મોદી જેવા સાંપ્રદાયિક લોકોથી દેશને બચાવવા કોંગ્રેસને સમર્થન: રામગોપાલ

Sep 22, 2012 National
 
Tags:   Ram Gopal Yadav Narendra Modi Bleam Hitler comment     E-Mail     Print    
 
Viewed: 5704
Rate: 1.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર

ગુજરાતના મુખ્યમંત્રી મોદી વિરૂદ્ધ થયેલી રાજકીય નિવેદનબાજી અટકવાના બદલે વધતી ચાલી છે. મોદી પર તાજો હુમલો સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કર્યો છે.
યુપીમાં સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રામગોપાલ યાદવે નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

 સુરક્ષા આપવાનો ઈન્કાર

રામગોપાલે જણાવ્યું કે તેઓ ગુજરાતની મુલાકાત લેવા ઈચ્છતા હતા, પરંતુ મોદીએ સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. યાદવે જણઆવ્યું કે મોદીએ તેમને કહ્યું હતું કે તમે તમારી જાતે જોખમ લઈને આવવા માગતા હોવ તો આવી શકો છો.

મોદીનો વ્યવહાર હિટલર જેવો

સપાના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આવડી મોટી માત્રામાં દંગા કરાવનાર મોદીનો વ્યવહાર હિટલર જેવો છે. ગુજરાતમાં ગયો હોત તો મારી પણ હત્યા થઈ શકત એવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કે મોદી દેવા સાંપ્રદાયિક લોકોથી દેશને બચાવવા માટે જ તેમણે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. કારણ કે સપા હંમેશા દેશહિતને સૌપ્રથમ જુએ છે.

ઉલ્લેખનીય છે કે સપાએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેનાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com