મુજફ્ફરનગર : તા. 30
મુજફ્ફરનગર જીલ્લાના કકરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરોજાબાદ ગામમાં એક દલિત મહિલા સાથે બે યુવકો દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યોના મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ બાબતે કેસ દાખલ કરી પીડિતાને ચિકિત્સા પરિક્ષણ માટે હૉસ્પિટલમાં દાખલ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલા કુદરતી કુદરતી હાજતે જવા માટે ઘરથી બહાર નિકળી હતી. ત્યા ગામના જ બે યુવકોએ તેને પકડી અને પિસ્તોલ દેખાડી તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.