તેહરાન : તા. 7
પાકિસ્તાનના એક રાજદૂતનું કહેવું છે કે ઈરાન અને પાકિસ્તાન સાથે થનારી ગેસ પાઈપલાઈન સમજૂતીમાંથી ભારતે પોતાને અલગ કરી લીધું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈરાનમાં પાકિસ્તાની રાજદૂત મોહંમદ બક્સ અબ્બાસીએ કહ્યું છે કે નિશ્ચિત રીતે ભારત જ ગેસ પાઈપલાઈન કરારથી અલગ થયું છે. બીજી તરફ ઈરાની અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ભારત તરફથી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ગેર પુરવઠા સંબંધી 7.5 અબજ ડૉલરની સમજૂતી થઈ હતી.