મુંબઈ : તા. 26
બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેની સાસુ ડિમ્પલ કપાડિયા સાથે આગામી ફિલ્મ 'પટિયાલા હાઉસ'માં અભિનય કરવા જઈ રહ્યો છે. પરંતુ અક્ષય અને તેના સસરા અભિનેતા રાજેશ ખન્ના વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'બિગ બોસ-3' માં રાજેશ ખન્ના સામેલ થવા જઈ રહ્યો છે તેના કારણે અક્ષય કુમાર ખૂબ નારાજ છે. અક્ષયે પહેલા પણ સસરા રાજેશ ખન્નાને બિગ બોસમાં સામેલ ન થવાની સલાહ આપી હતી. પરંતુ રાજેશ ખન્ના અક્ષયની મરજી વિરૂદ્ધ બિગ બિસમાં સામેલ થવાના છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અક્ષય અને રાજેશ ખન્ના વચ્ચે અણબનાવ થયો હતો.જ્યારે રાજેશ ખન્નાએ મુંબઈના કાર્ટર રોડ સ્થિત આર્શિવાદ નામના બંગલાને પોતાના જમાઈ અક્ષય કુમારને વેચાણ ખાતે આપ્યો ન હતો.
આશા રાખીએ કે 'કાકા' અને જમાઈ અક્ષય કુમાર વચ્ચેના અણબનાવના અહેવાલ અફવાહ સાબિત થાય.