Make Sandesh your homepage| My Page |Archive | 8x4 Home Page | | Reading Problem?
Last Updated: Feb 09,2010 10:16:11 PM IST
મહા વદ અગિયારસ-
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Special
Classified
Breaking News ૧૧ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવા એમસીઆઇની ચેતવણી | કાનપુરની સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો | ઘડપણને દૂર રાખવા અને કેન્સરથી બચવા લીલી ચા | મહિલાઓની તુલનામાં પુરુષો ઓછા રોમેન્ટિક | રિલાયન્સ-સહારા ફૂટબોલ ક્લબ લિવરપુલ ખરીદવાની હોડમાં |
Home > National>Article Oct 28,2009
પાકિસ્તાને ત્રાસવાદને ડામવો રહ્યો : મનમોહનસિંહ
Print Print Print E-mail Print Comment
Viewed 2161
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

શ્રીનગર,તા.૨૯

વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાનને આકરી ચેતવણી આપતા ત્રાસવાદને ડામવા તાકીદ કરી છે.વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે દ્વિપક્ષી મંત્રણા માટે કોઈ શરત નથી પરંતુ પાક ભૂમિ પર સક્રિય ત્રાસવાદી જૂથો પર અસરકારક નિયંત્રણ  ન મેળવાય ત્યાં સુધી મંત્રણાઓ પ્રગતિ કરી શકે તેમ નથી.તાલિબાનોને ભારત સહાય કરે છે તેવા પાકના આક્ષેપને વડાપ્રધાને વાહિયાત ગણાવ્યો હતો.

  • દ્વિપક્ષી મંત્રણા માટે કોઈ શરત નથી :તાલિબાનોને સહાયનો આક્ષેપ વાહિયાત

કાશ્મીર ખીણની બે દિવસની મુલાકાતને આટોપતા વડાપ્રધાને આશા દર્શાવી હતી કે, ભાગલાવાદીઓ અને અન્યો તમામ વર્ગો સાથેની મંત્રણા માટેની તેમની(વડાપ્રધાન)અપીલને વળતો પ્રતિભાવ આપીને સ્વીકારશે.પાકિસ્તાને તેની ભૂમિ પરની ત્રાસવાદી છાવણીઓને ખાતમો બોલાવવો પડશે તેવી તેમની ચેતવણી દ્વિપક્ષી મંત્રણાની પૂર્વશરત છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મંત્રણા માટે કોઈ પૂર્વશરત નથી પરંતુ પાક ભૂમિ પર સક્રિય ત્રાસવાદી છાવણીઓ નાબૂદ ન થાય ત્યાં સુધી મંત્રણા પ્રગતિ કરી શકે તેમ નથી.કોઈ પણ મંત્રણાની સફળતાનો આ એક વ્યવહારુ માર્ગ છે.

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે, મુંબઈ હુમલાના જવાબદારો સામે પાકનાં પગલાં સંતોષકારક નથી મનમોહનસિંહે આશા વ્યક્ત કરી હતી કે, ઈસ્લામાબાદ મુંબઈ હુમલાના કાવતરાખોરેા સામે ન્યાય તોળશે.ભારત તાલિબાનોને સહાય કરે છે તેવા પાકના ગૃહપ્રધાન મલિકના આક્ષેપને ફગાવતા મનમોહનસિંહે આવા આક્ષેપને વાહિયાત ગણાવ્યો હતો.

કાશ્મીર ખીણની મુલાકાત આટોપતા વડાપ્રધાને ભાગલાવાદીઓ તથા અન્યોને મંત્રણા મેજ પર આવવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ભારત લોકશાહી દેશ છે અને જો ત્રાસવાદીઓ નિર્દોષોનો ભોગ લેતા હુમલા રોજે રોજ કરતા રહે તો મંત્રણા માટેનું વાતવરણ ઉદ્ભવી શકે નહીં.

Related News: manmohan singh | jammu kashmir | pakistan |
 
Related Photos:
     manmohan singh
     jammu kashmir
     pakistan
 
 
More News From
  More News
 
Comment
Write Here
Name : City :
E-mail :
Most Popular
Recipe Page More News
Archive
Date GO
(mm/dd/yyyy)
About Us | Advertise with Us | US Edition | Contact Us | Site Map | Feedback | Privacy Policy |Terms & Conditions| News For Your Site |Code Of Conduct

Site best viewed in I.E.6 or + with 1024 X 768 Resolution
© Reproduction in Whole or in part without written permission is prohibited.

investorsgrievance@sandesh.com