અમૃતસર, તા.3 નવેમ્બર,
1984ના રમખાણોના આરોપીઓ વિરુદ્ધની કાર્યવાહીની માંગને લઈને એક કટ્ટરપંથી સીખ સંગઠનના કાર્યકર્તાઓએ મંગળવારે સવારે અમૃતસરમાં પંજાબ બંધનું એલાન કરીને ટ્રેનો અને બસોને રોકી હતી.
દલ ખાલસા અને બીજા સંગઠનોએ રેલવે ટ્રેક પર જામ લગાવી દીધો હતો જેનાથી શતાબ્દી એક્સપ્રેસ, સચખંડ એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ, સુપર ફાસ્ટ, દાદર, કટિહાર એક્સપ્રેસ અને ટાટા મૂરી સહિત ઘણી ટ્રેનો મોડી પડી છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉપરોક્ત ટ્રેનોને રોકવામા આવી છે જેને થોડા સમય બાદ ફરી ચાલુ કરી દેવામાં આવશે. જ્યારે અમુક ટ્રેનોને આ બંધના કારણે પહેલેથી જ રદ કરી દેવામાં આવી છે.