Make Sandesh your homepage| My Page |Archive | 8x4 Home Page | | Reading Problem?
Last Updated: Feb 09,2010 10:16:11 PM IST
મહા વદ અગિયારસ-
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Special
Classified
Breaking News ૧૧ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવા એમસીઆઇની ચેતવણી | કાનપુરની સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો | ઘડપણને દૂર રાખવા અને કેન્સરથી બચવા લીલી ચા | મહિલાઓની તુલનામાં પુરુષો ઓછા રોમેન્ટિક | રિલાયન્સ-સહારા ફૂટબોલ ક્લબ લિવરપુલ ખરીદવાની હોડમાં |
Home > National>Article Nov 03,2009
ચંડીગઢમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થાને કારણે દરદીનું મોત
Print Print Print E-mail Print Comment
Viewed 1285
Rate 3.0
Rating
Read in English
Bookmark The Article
 
 

ચંદીગઢ, તા. ૩

વડાપ્રધાન મનમોહન સિંહનો કાફલો આવવાનો હોઇ જડબેસલાક સલામતી વ્યવસ્થાને કારણે કિડનીનો એક દરદી સમયસર હોસ્પિટલમાં ન પહોંચી શકતાં તેનું મોત થયું હોવાનો મૃતકના કુટુંબીજનોએ આરોપ મૂક્યો છે. વડાપ્રધાનની કચેરીએ આ ઘટનાની ગંભીર નોંધ લઇ તે અંગે અહેવાલ મોકલવાનો સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી છે.

હરિયાણાના અંબાલાના રહેવાસી મૃતક એસ. પી. વર્માના કુટુંબીજનોએ દાવો કર્યો હતો કે, મેડિકલ ઇન્સ્ટિટયૂટ પાસે ગોઠવવામાં આવેલા ચંડીગઢ પોલીસ સહિતના સલામતી જવાનોએ તેમના વાહનને ઇમર્જન્સી વોર્ડ સુધી જવા દીધા ન હતા અને અમને આશરે બે કલાક સુધી એકથી બીજા સ્થળે ફેરવી રાખ્યા હતા.

૪૦ વર્ષીય દરદીના એક મહિલા સગાંવાળાએ જણાવ્યું હતું કે,"અમે પીજીઆઇની નજીક આવ્યા ત્યારે વર્મા જીવતા હતા. પણ કડક સલામતી વ્યવસ્થાને કારણે અમે બે કલાક સુધી અમે હોસ્પિટલ ન પહોંચી શકતાં સારવારના અભાવે તેમનું મોત થયું હતું. વડાપ્રધાનનો કાફલો આવવાનો હોઇ અન્ય વાહનોની હેરફેર અટકાવી દેવામાં આવી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે દરદીને કિડનીની બીમારી હતી અને તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે સવારે તેને શ્વાસમાં તકલીફ પડતાં તેને પીજીઆઇએમઇઆરમાં લઇ જવાનો નિર્ણય કરાયો હતો.

આ ઘટનાની ગંભીર નોંધ લેતાં વડાપ્રધાનની કચેરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પીજીઆઇએમઇઆર, ચંડીગઢ ખાતે દરદીનું મોત થયું તે એક દુઃખદ બાબત છે. એ ઘટનામાં સંપૂર્ણ અહેવાલની માગણી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન અહીં પીજીઆઇએમઇઆરના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પીજીઆઇએમઇઆર અને પંજાબ યુનિર્વિસટીની વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભમાં ચંડીગઢ પોલીસે જડબેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવી હતી. એ સંદર્ભમાં કેટલાક માર્ગો સીલ કરી દેવાયા હતા અને કેટલાક પરનો ટ્રાફિક અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં વારંવારના પ્રયાસો બદલ ચંડીગઢ પોલીસનો કોઇ સિનિયર અધિકારીનો સંપર્ક સાધી શકાયો ન હતો. પીજીઆઇએમઇઆરના એક સિનિયર અધિકારીનું કહેવું હતું કે દરદીને ઇમર્જન્સી વિભાગમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. જોકે તેઓ ઘટનાની વિગતો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

Related News: manmohan sing | patient dies | pm security |
 
Related Photos:
     manmohan sing
     patient dies
     pm security
 
 
More News From
  More News
 
Comment
Write Here
Name : City :
E-mail :
Most Popular
Recipe Page More News
Archive
Date GO
(mm/dd/yyyy)
About Us | Advertise with Us | US Edition | Contact Us | Site Map | Feedback | Privacy Policy |Terms & Conditions| News For Your Site |Code Of Conduct

Site best viewed in I.E.6 or + with 1024 X 768 Resolution
© Reproduction in Whole or in part without written permission is prohibited.

investorsgrievance@sandesh.com