Make Sandesh your homepage| My Page |Archive | 8x4 Home Page | | Reading Problem?
Last Updated: Feb 09,2010 10:16:11 PM IST
મહા વદ અગિયારસ-
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Special
Classified
Breaking News ૧૧ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવા એમસીઆઇની ચેતવણી | કાનપુરની સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો | ઘડપણને દૂર રાખવા અને કેન્સરથી બચવા લીલી ચા | મહિલાઓની તુલનામાં પુરુષો ઓછા રોમેન્ટિક | રિલાયન્સ-સહારા ફૂટબોલ ક્લબ લિવરપુલ ખરીદવાની હોડમાં |
Home > National>Article Nov 06,2009
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સરકારની શનિવારે રચના
Print Print Print E-mail Print Comment
Viewed 1922
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી,તા. ૬

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ ખાતાંઓની ફાળવણી અંગે લાંબી મડાગાંઠનો અંત આવી ગયા પછી આવતીકાલે કોંગ્રેસ-એનસીપીની સરકારની રચના કરવામાં આવશે. કોંગ્રેસના ૨૩ અને એનસીપીના ૨૦ પ્રધાનો નવી સરકારમાં રહેશે. વિશ્વસનીય સૂત્રોએ કહ્યું છે કે એનસીપીના તમામ પ્રધાનો આવતીકાલે શપથ લેશે. જ્યારે કોંગ્રેસના પ્રધાનો બે તબક્કામાં શપથ લેશે.

  • ખાતાંઓના ફાળવણી અંગે મડાગાંઠનો અંત આવ્યો
  • કોંગ્રેસના ૨૩ પ્રધાનો બે તબક્કામાં શપથ લેશે

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કર્યા બાદ ખુશખુશાલ દેખાતા મુખ્યપ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું કે, અમે આવતીકાલે સરકારની રચના કરવા જઇ રહ્યા છીએ. સરકારની રચના કરવાનો દાવો કરી દેવામાં આવ્યો છે. નવા પ્રધાનમંડળમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવશે તે અંગે અંગે તમામ પ્રશ્નોનો જવાબ ચવ્હાણે આપ્યો ન હતો. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પુત્ર રાજેન્દ્ર સિંહ શેખાવત, મુંબઇ ક્ષેત્રિય કોંગ્રેસના વડા કૃપાશંકર સિંહ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા માણિકરાવ ઠાકરેનો સમાવેશ પ્રધાનમંડળમાં કરવામાં આવશે કે કેમ? તે અંગે પ્રશ્નોનો જવાબ પણ ચવ્હાણે આપ્યો ન હતો.

 તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોણ અને કેટલા પ્રધાનો શપથ લેશે તે પ્રશ્નનો જવાબ હાલ તેઓ આપવા ઇચ્છતા નથી. શપથવિધિની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ખાતાંઓ અંગે ફેંસલો કરવામાં આવશે. ચવ્હાણે કબૂલાત કરી હતી કે વર્ષ ૧૯૯૯ની ફોર્મ્યુલાને અમલી બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ અને એનસીપી પાસે કયાં કયાં ખાતા રહેશે તે અંગે પણ ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

 મહારાષ્ટ્રમાં કેબિનેટની રચનાના મામલે પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે અને એ.કે. એન્ટોની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૮૨ બેઠકો જીતી હતી જ્યારે એનસીપીએ ૬૨ બેઠકો પર જીત મેળવી હતી. વિપક્ષી ભાજપ-શિવસેનાનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો હતો. ગઇકાલે રાત્રે જ સરકારની રચના આડેની તમામ અડચણો દૂર થઇ ગઇ હતી. કારણ કે બન્ને પક્ષો ખાતાંઓની ફાળવણી મામલે મતભેદોને દફનાવી દેવા સહમત થયા હતા.

Related News: maharashtra government | congress | ncp | ashok chavan |
 
Related Photos:
     maharashtra government
     congress
     ncp
     ashok chavan
 
 
More News From
  More News
 
Comment
Write Here
Name : City :
E-mail :
Most Popular
Recipe Page More News
Archive
Date GO
(mm/dd/yyyy)
About Us | Advertise with Us | US Edition | Contact Us | Site Map | Feedback | Privacy Policy |Terms & Conditions| News For Your Site |Code Of Conduct

Site best viewed in I.E.6 or + with 1024 X 768 Resolution
© Reproduction in Whole or in part without written permission is prohibited.

investorsgrievance@sandesh.com