મુંબઈ : તા. 6
બોલીવુડ અભિનેતા આમિર ખાનનું કહેવું છે કે ઈડિયટ (મૂર્ખ) સ્ટુપિડ (બુદ્ધિહીન) નથી હોતા. ઈડિયટ એક સામાન્ય વ્યક્તિ છે પરંતુ કેટલાક નિર્ણયોને કારણે તે અલગ પડે છે.
પોતાની આગામી ફિલ્મ '3ઈડિટ્સ' નું પ્રથમ ગીત પ્રમોટ કરવાના પ્રસંગે આમિર ખાને કહ્યું હતું કે ઈડિયટ એક સામાન્ય વ્યક્તિની જેમ વિચારે છે પરંતુ કેટલીક વખત તે સાબિત કરવા માંગે છે કે તેનામાં બધા કરતાં વધારે બુદ્ધિ છે. પરંતુ તેઓ બુદ્ધીહીન (સ્ટુપિડ) નથી.
આમીરની આ ફિલ્મમાં કુલ પાંચ ગીત છે જેમાંથી 'જબ લાઈફ હો આઉટ ઓફ કન્ટ્રોલ, ઓલ ઈઝ વેલ' નું ગુરૂવારે પ્રમોશન કરવામાં આવ્યું હતું. '3 ઈડિયટ્સ' માં આમિર ખાન, સંતોષ જોશી અને આર.માધવન એન્જીનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી છે. જ્યારે કરીના કપૂર અને બોમન ઈરાનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને કાજોલ ખાસ મહેમાનનાં રૂપમાં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ આઈઆઈએમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ફિલ્મ લેખક ચેતન ભગતના પુસ્તક 'સમવન ફાઈવ પોઈન્ટ' પર આધારિત છે.
